________________
(૧) ભવ્યદ્રવ્ય દેવ :– ભવ્યદ્રવ્ય દેવમાં યુગલિયાની અપેક્ષા ત્રણ પલ્યોપમની ઉંમર હોય છે, જલચરની અપેક્ષાએ ૧૦૦૦ યોજન અવગાહના હોય છે. આગત= સર્વાર્થ સિદ્ધ અને યુગલિયા (૮૬+૧-૮૭) આતિમાં નથી. તેથી ૩૭૧–૮૭–૨૮૪ હોય છે. કેમ કે યુગલિયા દેવગતિમાં જાય છે પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આવતા નથી. સર્વાર્થ સિદ્ધ દેવ ફરીથી દેવ બનતા નથી, મોક્ષમાં જ જાય છે. ગત = ગતિમાં ૯૯ દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. અંતરમાં દેવની જઘન્ય ઓછામાં ઓછી ઉંમર ૧૦,૦૦૦ વર્ષ અને આગળ ના ભવમાં દેવાયુ બાધવાથી પહેલાનો સમય અંતર્મુહૂર્ત લેવાયો છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ વનસ્પતિકાલ જેટલું અંતર હોય છે.
(૨) નરદેવ ઃ– પ્રથમ અને અંતિમ ચક્રવર્તીની અપેક્ષાએ અવગાહના આયુ જઘન્ય, ઉત્કૃષ્ટ છે. એક પહેલી નરક અને ૮૭જાતના દેવતાથી આવીને જીવ ચક્રવર્તી બની શકે છે; ૧૫ પરમાધામી અને ત્રણ કિલ્વિષી છોડયા છે. નરદેવ = ચક્રવર્તી નરકમાં જ જાય છે. દીક્ષા લીધા પછી તે ચક્રવર્તી રહેતા નથી, ધર્મદેવ થઈ જાય છે. પહેલી નરકની ઉત્કૃષ્ટ ઉંમર અને ચક્ર રત્ન ઉત્પન્ન થયા પહેલાની મનુષ્યની ઉંમર એ બંને મળીને જઘન્ય અંતર હોય છે. (૩) ધર્મદેવ ઃ– દીક્ષા લઈને અંત મુહૂર્તમાં પણ કોઈ કાળ કરી શકે છે. પાંચમાં આરાના અંતમાં અનેક(બે) હાથની અગવાહનાવાળા સાધુ હોઈ શકે છે. છઠ્ઠી-સાતમી નરક, તેઉ—વાયુ અને યુગલિયા(૨+૮+૮૬=૯૬)માંથી આવીને ધર્મદેવ બનતા નથી. ધર્મદેવ વૈમાનિકમાં જ જાય છે. ત્યાં અનેક પલ્યોપમ (બે પળ)ની ઓછામાં ઓછી ઉંમર પ્રાપ્ત કરે છે. આથી અનેક પળ સાધિક જઘન્ય અંતર હોય છે. સાધિક= મનુષ્ય ભવમાં દીક્ષા લીધા પહેલાની ઉંમરની અપેક્ષાએ છે.
(૪) દેવાધિદેવ ઃ–પ્રથમ અને અંતિમ તીર્થંકરની અપેક્ષાએદેવાધિદેવની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અને સ્થિતિ કહેવાઈ છે. ત્રણ નરક અને પાંત્રીસ વૈમાનિકમાંથી આવનારા તીર્થંકર બની શકે છે.
(૫) ભાવદેવ :- ભાવદેવમાં ૧૦૧ મનુષ્ય, ૫ સન્ની તિર્યંચ, ૫ અસન્ની, તિર્યંચ આ૧૧૧ આવે છે. અને ૧૫ કર્મ ભૂમિ, ૫ સન્ની તિર્યંચ અને પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ ના પર્યાપ્ત, અપર્યાપ્ત ૪૬માં જાય છે. દેવમરીને અંતર્મુહૂર્તતિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને ફરીથી દેવ થઈ શકે છે. એટલા માટે જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહેવાયું છે.
-
કાસ્થિતિ ઃ– ધર્મદેવમાં જઘન્ય કાયસ્થિતિ એક સમય છે. બાકી બધાની જઘન્ય ઉત્કૃષ્ટ કાર્યસ્થતિ ભવસ્થિતિ સમાન છે.
અલ્પ બહુત્વ ઃ– બધાથી અલ્પ નરદેવ હોય છે. જે ઉત્કૃષ્ટ ૩૭૦ હોઈ શકે છે. એનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, જે ઉત્કૃષ્ટ ૧૮૩૦ હોય છે. એનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યગુણા, ભાવદેવ અસંખ્ય ગુણા.
સંખ્યાઓનું સ્પષ્ટી કરણ ઃ- ૨૮૪ = ૧૭૯ ની લટ(૧૦૧ સમુર્ચ્છિમ મનુષ્ય + ૩૦ અકર્મ ભૂમિ મનુષ્ય + ૪૮ તિર્યંચ) ૭નરક, ૯૮ દેવ આ ભવ્ય દ્રવ્ય દેવની આગતિ છે. ૨૭૫-૧૭૧ ની લટ(તિર્યંચ ૪૦, તેઉવાયુના આઠ ભેદ ઓછા છે.) ૯૯ દેવ પ નરક. આ ધર્મદેવની આગતિ છે.
ભગવતી સૂત્રઃ શતક-૧૨
Jain Education International
For Private & Personal Use Only
૧૩૯
www.jainelibrary.org