________________
કરતા પણ દેવલોકમાં જાય છે તો હું વ્યંતર વગેરે દેવ અવસ્થા તો અવશ્ય પ્રાપ્ત કરીશ. આવા સંકલ્પોથી નાના મોટા દોષની આલોચના પ્રતિક્રમણ ન કરે અને આ સંકલ્પની પણ આલોચના અને પ્રતિક્રમણ ન કરે તો તે આરાધક હોતા નથી. આ રીતે ઉપરોક્ત સર્વેવિરાધક હોય છે.
ઉપરના કોઈ પણ સાધકને આલોચના પ્રતિક્રમણનો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે આરાધક થઈ શકે છે.
ઉદ્દેશકઃ ૩
(૧) દેવ-દેવી પોતાના ચાર-પાંચ આવાસ સુધી સ્વાભાવિક શરીરની ગતિથી જઈ શકે છે. એનાથી વધારે જવા માટે ઉત્તર વૈક્રિય કરવું પડે છે.
(૨) દેવ-દેવી પોતાના અલ્પáિક દેવ દેવીની વચ્ચેથી અર્થાત્ એમનું ઉલ્લંઘન કરતા જઈ શકે છે; સમાન અથવા અધિક ઋદ્ધિવાળા દેવ-દેવીનું ઉલ્લંઘનએ કરી શકતા નથી, પરંતુ કદાચ તે પ્રમાદમાં હોય અથવા છલથી(દગો કરવો) ઉલ્લંઘન કરી શકે છે.
(૩) ઘોડો જ્યારે દોડે છે. ત્યારે એના હૃદય અને યકૃતની વચ્ચે 'કડકડ' નામનો વાયુ ઉત્પન્ન થાય છે. જેનાથી એનો ‘ ખુ-ખુ’ એવો અવાજ આવે છે.
(૪) હવે અમે બેસશું, સૂઈશું, ઉભા રહીશું વગેરે વ્યવહાર ભાષા પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય કે અસત્ય હોતી નથી. અન્ય પણ આમંત્રણી, જાયણી, પુચ્છણી ભાષા પણ પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય-અસત્ય હોતી નથી.
ઉદ્દેશક : ૪
(૧) ચમરેન્દ્રના ત્રાયવિંશક(મંત્રી અથવા પુરોહિત સ્થાનીય) દેવ શાશ્વત હોય છે. એક ચ્યવતાં બીજા ઉત્પન્ન થઈ જાય છે.
કાકંદી નામની નગરીમાં ૩૩ મિત્ર શેઠ(ગાથાપતિ) રહેતા હતા. તે પહેલાં શુદ્ધ આચારી શ્રમણોપાસક હતા. પછી શિથિલ આચારી બની ગયા. અંતમાં આલોચના શુદ્ધિ કર્યા વગર આયુ સમાપ્ત થઈ જવાથી તે સર્વે અસુરેન્દ્ર ચમરેન્દ્ર ના ત્રાયવિંશક દેવ બન્યા હતા. વર્તમાનમાં આ જ તેત્રીસ કાકંદીના શ્રાવક દેવરૂપમાં ત્રાયવિંશક છે. આવાજ ૩૩ થતા રહે છે. વિચ્છેદ નથી પડતો.
શ્યામહસ્તિઅણગારના ગૌતમસ્વામીને પૂછેલ અને પછી ગૌતમ–સ્વામીએ ભગવાનને પૂછેલ પ્રશ્નનો આ સારાંશ છે.
બલીન્દ્રના ૩૩ ત્રાયત્રિંશક દેવ બિભેલનગરમાં શ્રમણોપાસક હતા અને બાદમાં શિથિલ આચારી થઈ જવા પર આ અસુરકુમાર દેવમાં ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૦ ભવન પતિઓના ત્રાયશ્રિંસક દેવ છે.
ભગવતી સૂત્રઃ શતક-૧૦
Jain Education International
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org