SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ પીવાનું પાણી અને પ્રકાશ માટે દીપક તથા ભોજન બનાવવા માટે અગ્નિ રહે તો તે વિભાગ જુદો હોવો જોઈએ. F સૂત્ર-૩૦-૩૧ : દ્રવ્ય પ્રતિબદ્ધ(છતની અપેક્ષાએ) કે ભાવ પ્રતિબદ્ધ(સ્ત્રીના શબ્દ રૂપ આદિની અપેક્ષા) ઉપાશ્રયમાં સાધુએ રહેવું કલ્પતું નથી. કદાચ સાધ્વીજીઓ રહી શકે છે. સ્વતંત્ર છતવાળા મકાન હોય જેની ભીંતો એક બીજાને લાગેલી હોય તે પ્રતિબદ્ધ નથી; પરંતુ એક છત અને તેમાં અલગ-અલગ ઓરડા છે તો તે પ્રતિબદ્ધ મકાન છે. સૂત્ર-૩૨-૩૩ : સ્ત્રીઓથી પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં(ઉપાશ્રયમાં) સાધુએ રહેવું કલ્પે નહિ. સાધ્વીઓ કદાચિત રહી શકે છે. સૂત્ર-૩૪ : કોઈની સાથે ક્લેશ થઈ જાય તો સ્વયં-પોતે સંપૂર્ણ ઉપશાંત થવું જરૂરી છે. અન્યથા સંયમની આરાધના થતી નથી. સૂત્ર-૩૫-૩૬ : સાધુ-સાધ્વીજીઓએ ચાતુર્માસમાં એક સ્થાન પર જ રહેવું જોઈએ તથા હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં શક્તિ અનુસાર વિચરણ કરતા રહેવું જોઈએ. સૂત્ર-૩૭ : જે રાજયોમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય ત્યાં વારંવાર આવ-જા કરવી જોઈએ નહીં. સૂત્ર-૩૮-૪૧ : સાધુ કે સાધ્વીઓ ગોચરી(આહાર માટે) ગયા હોય અને ત્યાં કોઈ તેને વસ્ત્રાદિ લેવા માટે કહે તો આચાર્યાદિની સ્વીકૃતિની શરત રાખીને ગ્રહણ કરે. જો તેઓ સ્વીકૃતિ આપે તો રાખે, નહિતર પાછું આપી દે. સૂત્ર-૪૨-૪૩ઃ સાધુ-સાધ્વી રાત્રિમાં આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા સંસ્તારક ગ્રહણ ન કરે. ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં શય્યા સંસ્તારક ગ્રહણ કરી શકાય છે તથા ચોરાઈ ગયેલ વસ્ત્ર પાત્રાદિ કોઈ પાછા લાવીને આપે તો તેને રાત્રિમાં ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૪૪-૪૫ : રાત્રિમાં કે વિકાલમાં(સંધ્યામાં) સાધુ-સાધ્વીઓએ વિહાર ન કરવો જોઈએ તથા દૂર ક્ષેત્રમાં થનારી સંખડીમાં આહાર ગ્રહણ કરવા માટે રાત્રિ કે સંધ્યા સમયે ન જવું જોઈએ. સૂત્ર-૪૬-૪૭ : સાધુ-સાધ્વીજીઓએ રાત્રિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કે સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી દૂર(૧૦૦ હાથથી આગળ) એકલા ન જવું જોઈએ, કોઈને સાથે લઈને જઈ શકે છે. કોઈની વધુ ભયની પ્રકૃતિ હોય કે ક્ષેત્રની સ્થિતિ હોય તો અનેક સાધુ કે અનેક સાધ્વીઓ સાથે જઈ શકે છે. સૂત્ર-૪૮ : ચારે દિશાઓમાં આર્ય ક્ષેત્રની સીમા સૂત્રમાં બતાવી છે, તેની અંદર સાધુ-સાધ્વીઓએ વિચરવું કલ્પે છે. પરંતુ તેઓએ સંયમની ઉન્નતિનો વિવેક તો સર્વત્ર અવશ્ય રાખવો જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy