SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ - છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખાંડ-૨ ૧૯૬ કથન છે અને તેની વ્યાખ્યામાં આચાર્ય મલયગિરિએ મુખ્ય ઉપકરણોમાં વસ્ત્ર-પાત્ર સ્પષ્ટ કહેલ છે. માટે પાત્રનું પડિલેહણ બંને ટાઈમ કરવું તે સ્પષ્ટ છે. એટલા માટે વિવાદને જરા પણ સ્થાન નથી. (૨) વ્યવહાર સૂત્ર:- ઉદ્દેશક–૮માં વધારે પાત્રો દૂર ક્ષેત્રથી લાવવાનું વિધાન છે. તેની વ્યાખ્યાઓમાં તે પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવાનું કહ્યું છે. યથા ओमंथणमादीणं, गहणे उवहिं तहिं पठति । નહિ વ પII મુદ્દે, અતિ પવિત્વેદ રો ને ર૪જી ભાષ્ય ગાથા. ટીકા – અવમંથન-અધોમુર્વ સ્વી પ્રાવીન, વોટને ભૂમી યતના પાતતિા अमुं विधि तत्र ग्रहणे प्रयुजति । गृहिते चे तानि पात्राणि प्रकाश मुखानि करोती तथा द्वौ कालौ-प्रातः अपरान्हे च प्रत्युप्रेक्षति । અંતિમ વાક્યમાં સ્પષ્ટ કરેલ છે કે તે પાત્રોને બંને કાળે સવાર સાંજ પ્રતિલેખન કરે છે. – [રાજેન્દ્ર કોષ પત્ત શબ્દ પૃષ્ટ–૪૧૩૫] આ વિધાન મર્યાદાથી વધારે પાત્રનું છે. જે કામમાં નથી આવતા, ફક્ત પડ્યા રહે છે, તેનું પણ બંને વખત પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ કથન છે. એકવાર કરવાનો લેશમાત્ર પણ સંકેત નથી. તો ઉપયોગમાં આવનારા પાત્રને માટે એકવારના પ્રતિલેખનનો આગ્રહ અને પ્રરૂપણા મનઘડંત અને શિથિલાચાર મૂલક છે. તેમાં કિંચિત્માત્ર સંદેહ નથી. (૩) નિશીથ સૂત્ર:- ઉદ્દેશક–૧૪, સૂત્ર-૫ ની ભાષ્ય ગાથા અને ચૂર્ણિટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે વધારે ગ્રહણ કરેલા પાત્રો સાધુ રસ્તામાં લઈ જઈ રહ્યા હોય, તે સમયે કામમાં ન આવતા હોય તો પણ બે વાર પ્રતિલેખન કરવું. – [ગાથા-૪૫૫૭ ચૂર્ણિ.] અહીં એમ કહ્યું છે કે જેવી રીતે પોતાનાં ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવામાં આવે છે, તેવી જ રીતે બીજાને માટે લેવામાં આવતા અને બાંધીને રાખેલા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું. (નિશીથ ચૂર્ણિ પાના-૪૫૫) આટલા સ્પષ્ટ ૧000 વર્ષ પ્રાચીન પ્રમાણના હોવા છતાં પોતાના કામમાં આવનારાં પાત્રોનું એકવાર પ્રતિલેખન કરવું ક્યારે ય ઉચિત થઈ શકતું નથી. (૪) નિશીથ સૂત્ર – ઉદ્દેશક-ર, સૂત્ર-૫૯, ભાષ્ય ગાથા-૧૪રનાવિવેચનમાં પાત્ર પ્રતિલેખનના કાળનું વર્ણન કરતાં થકાં બતાવેલ છે કે વરમ પરિસિ0 પુણ ओगाहंतीए चेव पडिलेहेङ निक्खिवंति । ततो सेसोवकरणं, ततो सज्झायं पट्ठति। આગળ ગાથા ૧૪૩ન્ના વિવેચનમાં– ગઠ્ઠા તે રોસ, તહાં સબ્યોનહી કુસંક્ષે पडिलेहियव्वो। ભાવાર્થ – ચોથી પોરસી ચાલુ થતાં જ પાત્રનું પ્રતિલેખન કરીને રાખવા. પછી Jain Education International Forrivate & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy