SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, (૫) ભારવાહકના ચાર વિશ્રામ સમાન શ્રાવકને પણ સંસાર બોજના ચારવિશ્રામ છે– ૧. એક ખંભાથી બીજા ખંભા ઉપર અથવા એક હાથથી બીજા હાથમાં ભાર લેવો = અનેક ત્યાગ, નિયમ, વ્રત ધારણ કરવા તથા તેનું પાલન કરવું. ૨. મળ -મૂત્રના ત્યાગ સમયે ભાર નીચે રાખવો = સામાયિક, ૧૪ નિયમ ધારણ કરવા ૩. માર્ગમાં મંદિર વગેરેમાં રાત્રિ નિવાસ કરવો = પ્રતિ મહિનામાં છ પૌષધ કરવા ૪. નિયત સ્થાને પહોંચી ભાર છોડી દેવો = મારણાંતિક સંખણા કરી ભક્ત પ્રત્યાખ્યાન વગેરે આજીવન અનશન સ્વીકાર કરવું. () ઉન્નત તેમજ અવ ત પુરુષની ચૌભંગીમાં ૧. ભરત ચક્રવર્તી ૨. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૩. હરિકેશી મુનિ ૪. કાળશૌરિક એમ ચાર ઉદાહરણ રૂપ છે. (૭) કુળથી અને વૈભવથી ઉચ્ચ પુરુષ, ઉચ્ચ વિચારવાળા અને ઉદારતા સંપન્ન હોય તો શ્રેષ્ઠ છે; કૃપણતાવાળા, નીચ કે સંકુચિત વિચારવાળા શ્રેષ્ઠ હોતા નથી. (૮) ૧. જાતિ ૨. કુળ ૩. બળ ૪. રૂ૫ ૫. શ્રત ૬. શીલ ૩. ચારિત્રથી સંપન્ન, અસંપન્ન પુરુષની એકવીસ ચૌભંગિઓ કહેવામાં આવેલ છે, જેમાં ઉભય સંપન્ન ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે. (૯) આંબળા, દ્રાક્ષ, દૂધ અને સાકર એમ ચારે ય પ્રકારની મધુરતાની ઉપમા આચાર્યોને આપવામાં આવેલ છે. (૧૦) વૈયાવૃત્ય તેમજ ગણકૃત્ય કરનારની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે, તેમાં કર્તવ્ય બજાવી માન(હું પણું) નહીં કરનાર શ્રેષ્ઠ કહેવાય છે. ગુરુ શિષ્યની તેમજ દઢ-ધર્મી વગેરેની આ ચૌભંગીઓ વ્યવહાર સૂત્રની સમાન છે. (૧૧) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના વ્રત-પર્યાયની તેમજ આરાધક તથા અનારાધકની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે. (૧૨) સાધુ પ્રતિ શ્રાવક– ૧. માતા-પિતા ૨. ભાઈ ૩. મિત્ર ૪. અને શોક્યનું કર્તવ્ય કરનાર હોય છે. અર્થાત્ પોતાના વ્યવહાર-પ્રવૃત્તિ અનુસાર શ્રાવક હોય છે. કાચની સમાન નિર્મલ ચિત્ત, ધજાપતાકાની સમાન અસ્થિર ચિત્ત, સૂંઠા સમાન નમ્રતા રહિત દુરાગ્રહી અને કંટક સમાન કલુષતા યુક્ત દુઃખદાઈસ્વભાવના શ્રમણોપાસક પણ હોય છે. (૧૩) મનુષ્ય લોકથી ૪૦૦ થી ૫૦૦ યોજન ઉપર ગંધ આવવાથી દેવતાઓ મનુષ્ય લોકમાં આવતાં નથી.(ત્રણ ત્રીજા ઠાણામાં કહેલા જ અહીં કહ્યા છે.) (૧૪) મનુષ્યભવમાં કોઈને સંકેત કે વચન આપેલ હોય તો દેવતા મનુષ્ય લોકમાં આવે છે. તે સિવાય ત્રણ-ત્રણ કારણ ત્રીજા ઠાણામાં છે. તે સહિત અહીં કુલ ચારચાર બતાવવામાં આવેલ છે. (૧૫) તીર્થકરના નિર્વાણ સમયે પણ લોકમાં પ્રકાશ થાય છે, જ્યારે અગ્નિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy