SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ | ૯૬ GS મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ઉત્કૃષ્ટતા, મંદતા, ભીરુ અને મિશ્ર ગુણવાળા હાથીની ઉપમાથી ચાર ચૌભંગી છે અને ચારે પ્રકારના હાથીઓના લક્ષણ પણ ગાથા દ્વારા બતાવેલ છે. (૩) વિકથાઃ ૧. સ્ત્રીની જાતિ, કુળ, રૂપ તેમજ વેષ ભૂષાની ચર્ચા વાર્તા કરવી. ૨. ખાદ્ય પદાર્થો પાકી ગયેલ છે કે નહીં; તેની અવસ્થાની ચર્ચા, પકાવવાની વિધિ, સાધન અને ખર્ચ, વગેરેની ચર્ચા ૩. દેશોના વિધિ-વિધાન, ગઢ, કોટ, સીમા, પરિધિ વિવાહના રીત-રિવાજ, વેશભૂષાની ચર્ચા-વાર્તા અથવા તેના બલાબલ, જય-પરાજય, સમ્યક-અસમ્યકની ચર્ચા-વાર્તા કરવી. ૪. રાજાના શરીર, વૈભવ, ભંડાર, સેના તેમજ વાહન આદિની ચર્ચા કરવી. (૪) ધર્મ-કથાઃ૧.સાધુ-શ્રાવકના આચારમાં આકર્ષિત કરનાર, સંદેહ દૂર કરનાર વિવિધ દ્રષ્ટિકોણથી સમજાવે તેવી કથા કરવી. ૨. પરમત(પરધર્મ)ના મિથ્યા તત્ત્વોને સમજાવતાં-સમજાવતાં સ્વમતના સમ્યક તત્ત્વોની પુષ્ટિ કરવી. ૩. સંસારની અસારતા, શરીરની અપવિત્રતાનું સ્વરૂપ સમજાવવું. ૪. કર્મ સ્વરૂપ તેમજ કર્મફળ સમજાવવું. (૫) શરીરની અને ભાવોની નબળાઈ તથા દ્રઢતાની ચૌભંગી કહીને તેમાં જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ચૌભંગી કહેલ છે. () ચાર કારણથી અતિશય જ્ઞાન (વિશિષ્ટ શ્રુતજ્ઞાન) તેમજ અવધિજ્ઞાન વગેરે ઉત્પન્ન થાય છે. ૧. ઉપરોક્ત ચારે ય વિકથાઓ નહીં કરવાથી ૨. વિવેક તેમજ વ્યુત્સર્ગમાં સમ્યક વૃદ્ધિ કરવાથી. ૩. સુતાં-ઉઠતાં ધર્મ જાગરણ(આત્મ-ચિંતન) કરવાથી ૪. આહાર-પાણીની શુદ્ધ ગવેષણા કરવાથી. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિશય જ્ઞાન થતું નથી. (૭) ચાર પ્રતિપદાના દિવસે અર્થાત્ કારતક, માગસર, વૈશાખ અને શ્રાવણ વદી એકમના દિવસે ર૪ કલાક સ્વાધ્યાય કરવો નહીં. (ગુજરાતની પરંપરાએ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ વદ એકમ).ચાર સંધ્યાઓમાં એક-એક મુહૂર્ત સ્વાધ્યાય ન કરવો. ચાર પ્રહરમાં સ્વાધ્યાય કરાય. પ્રથમ અને અંતિમ પ્રહર, દિવસમાં તેમજ રાત્રિમાં. (૮) ઘણા મનુષ્ય કેવળ પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને ઘણા ઉપદેશ આદિ દ્વારા અન્યનું પણ કલ્યાણ કરે છે. એ પ્રકારે ખેદ, દમન અને સમર્થની અપેક્ષાએ ચૌભંગી છે. (૯) સરળતા પણ દેખાવની અને વાસ્તવિકતાની એમ બંને હોય છે. (૧૦) શંખના આવર્તનની ચૌભંગીથી મનુષ્ય સ્વભાવને ઉપમાદેવામાં આવી છે. (૧૧) નમસ્કાયના ૧ર નામ છે. તે ચાર દેવલોકને આવરી લે છે. (૧૨) લવણ સમુદ્રમાં ૪૨૦૦૦ યોજન જતાં ચારેય દિશાઓમાં વેલંધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy