SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૨પ આવે છે, પરંતુ આગમમાં ગુરુને માટે નમોત્થણનો આ પાઠ પૂરો બોલવામાં આવતો નથી. કેવળ 'નમોઘુર્ણ એક જ શબ્દ બોલવામાં આવે છે, બાકી બીજા શબ્દો જ બોલવામાં આવે છે. (૫) આ સૂત્રના અંતમાં ઢાળ સંપવિરામ પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થકરોમાં ઘટિત થઈ જાય છે. તાઈ સંપાઈ કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે. અરિહંતાણે, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થકર સિદ્ધોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ:- ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મદેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વજ્ઞ-સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ. આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. (ા અતિ આવશ્યક સૂત્ર સારાંશ સમાપ્ત .. બત્રીસ આગમોનો સારાંશ કોઈપણ, ક્યાંય પણ અને ક્યારે યા પણ વાંચી શકે છે. તેને માટે સ્વાધ્યાય-અસ્વાધ્યાયનો કોઈ નિયમ લાગતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy