SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ પાંચમો આવશ્યક - પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યત્સર્જન છે. તેનું મૌલિક સ્પષ્ટીકરણ શ્વાસોશ્વાસમાં કહ્યું છે અર્થાત્ દેવસિક પ્રતિક્રમણમાં ૧00 શ્વાસોચ્છવાસ. રાત્રિક પ્રતિક્રમણમાં ૫૦ શ્વાસોચ્છવાસ. પાક્ષિક પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પ00 શ્વાસોચ્છવાસ. સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ. આગમમાં અનેક જગ્યાએ લોગસ્સનો પાઠ કાઉસગ્ન પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ-કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું આગમ પ્રમાણ ન હોવાથી અને તર્કસંગત પણ ન હોવાથી શ્વાસોચ્છવાસના સ્થાને પ્રાથમિક સ્ટેજમાં બનાવેલી પરંપરા માત્ર છે, એવું સમજવું. આ કારણે ક્રાંતિકારી ધર્મસિંહજી મ. સાહેબે તે પરંપરાને પરિવર્તિત કરી હતી. જે આજે પણ અનેક સંપ્રદાયોમાં પ્રચલિત છે, તેઓ લોગસ્સનો કાઉસગ્ગ કરતા નથી તેમજ તેઓ મૌલિક શ્વાસોચ્છવાસ પ્રણાલીને પણ સમજતા નથી. સારાંશ :- સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનુપ્રેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ ત્રણે અલગ અલગ દસમું, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાનના પેક્ષાધ્યાન આદિ શું છે? ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત 'પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું સુત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છવાસ આદિનું પ્રેક્ષણ, આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યુત્સર્ગ તપ છે. જે પ્રકારે મિથ્યાષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ-સંયમ તો A કહેવાય પણ સમ્યકષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું Jain Education Intefnational or Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy