SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પરંપરા યા એકાંતિક દષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકુચિત દષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી – અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે, તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યગુજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે, તે સાધક માટે તપ રૂપ યા અનાથવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય. આચારાંગ શ્રુત સ્કંધ –૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત વિદેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ નવિચારે કે હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.' તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્ત્વ પણ તેના સ્થાન ઉપર છે. પોતાના સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્ત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનો બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા-વારણા કરવી આચાર્ય માટે શીઘ મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્યા પણ બતાવામાં આવી છે તો વસ્ત્રયુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત-પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેને વખોડવા ન જોઈએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દષ્ટિ વિચારણા - આગમમાં કાયોત્સર્ગને માટે જે “અનિમેષ દૃષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે, તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે. તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું “રિસર્ચ ધ્યાન છે? – રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી, નહીં કે ધ્યાન તપના ભેદમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy