SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય કર્યું છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે. તે પદ્ધતિ અનુસાર ૩૩ બોલ સુધી સંક્ષિપ્ત પાઠ તેત્તીસાહિં આસાયબહિં એટલું જ પાઠ હોવાની સંભાવના છે. તેતીસ આસાતનાનું વિસ્તાર ક્યારેય પાછળથી મૂળપાઠમાં પ્રવેશ પામેલ છે, તેમ જણાય છે. કારણ કે તે તેત્રીસ બોલોની મૌલિકતામાં કેટલીય વિચારણાને સ્થાન રહે છે. જેમ કે– દેવ, દેવી, સદેવ મનુષ્ય લોક, આલોક, પરલોક અને સર્વપ્રાણી આદિ ભેદોમાં પુનરુક્તતા થાય છે. તેમજ આચાર્ય ઉપાધ્યાય, ગણધર અને વાચનાચાર્ય આ ચાર છે. તે જ રીતે શ્રુતની આશાતના સ્વતંત્ર છે. છતાં જ્ઞાનના ૧૪ અતિચારનો પાઠ સંલગ્ન છે. કાલની અશાતના કઠિનાઈથી સમજાય છે. આ કારણોસર તે પાઠ વ્યાખ્યારૂપ હોય તેમ જણાય છે. ૨૧૪ ત્રીજી રીતે ઃ– પાંચ અસ્તિકાય, છ જીવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે. પરિશિષ્ટ-૪ :તપ સ્વરૂપ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તપના પ્રકાર :- તપના મુખ્ય બે ભેદ છે– (૧) આત્યંતર (૨) બાહ્ય. બંનેના છ–છ પ્રકાર છે. બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આપ્યંતર અને બાહ્ય તપ છે એકાંતે નહિ અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આપ્યંતર તપ થઈ શકતું નથી અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી. (૧) અનશન :- નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન—યાવજીવનનું તપ છે. આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદપોપગમન એ બે ભેદ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy