SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ આચારશાસ્ત્રઃ ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ સ્થળે કેવળી અર્થ ઘટિત કરવો એ કોઈ રીતે ઉચિત નથી. પહેલા પદની ભાવ વંદનાના ગુણ પણ આ વાતની પુષ્ટિ કરે છે. પ્રતિક્રમણ સૂત્રમાં ખામણા એટલે પંચ પરમેષ્ટીની ભાવવંદના સેંકડો વર્ષોથી પ્રવેશ પામેલી છે, તે આગમનો પાઠ નથી. તેમાં પણ પ્રથમ પદમાં ૨ કરોડ કે ૯ કરોડ કેવળીના જે શબ્દો છે તે બહુ જ પાછળથી ઉમેરાયેલા છે. એનું કારણ એ છે કે અનેક જગ્યાએથી છપાયેલ પ્રતિક્રમણના પુસ્તકોમાં આ વિષયને સંબંધિત મતભેદ જોવા મળે છે. જેમ કે (૧) રાજકોટ, ગુજરાતમાંથી વિક્રમ સંવત્ ૨૦૨૨માં (૨) શાહપુરાથી સં. ૧૯૯૮માં (૩) અજમેરથી સં. ૨૦૨૦/૨૦૨૪માં (૪) ધર્મદાસ જૈન મિત્ર મંડળ, રતલામથી સં. ૧૯૯૩માં (૫) ધૂલિયાથી અમોલક ઋષિજી મ. સા. દ્વારા સં. ૨૦૦૮ અને ૨૦૩૦માં (૬) ગુલાબપુરાથી પ્રકાશિત દસમી આવૃતિ સં. ૨૦૩૩માં; આ છ પ્રતિઓમાં પ્રથમ પદમાં ૨ ક્રોડ ૯ ક્રોડનો પાઠ નથી. તાત્પર્ય એ છે કે ઉપરોક્ત પ્રમાણોથી વિચારતાં સમાધાન મેળવી શકાય છે કે નમસ્કાર મંત્રના પહેલા પદમાં માત્ર તીર્થંકર જ છે. પ્રશ્ન : કેવળજ્ઞાન સૌથી મોટું જ્ઞાન છે, તેથી એ જ્ઞાનવાળાને આચાર્ય, ઉપાધ્યાયની પાછળ છેલ્લા પાંચમા પદમાં બતાવવું કઈ રીતે યોગ્ય છે. જવાબ ઃ પદ વ્યવસ્થા, જ્ઞાનની અપેક્ષાએ નથી હોતી. કાર્યક્ષેત્ર, કાર્યક્ષમતા વગેરેની ગણતરીએ પદ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્ઞાન વધારે હોય તો પણ તેનામાં શારીરિક ક્ષમતા, શિસ્તપાલન અને અભ્યાસ ક્ષમતા વધારે હોય જ તેવું નથી, પદ વ્યવસ્થા તો જવાબદારી સંભાળવાની અપેક્ષાએ અને કાર્યક્ષમતાની પાત્રતાથી થાય છે. સિદ્ધ ભગવાન આત્મગુણોથી મહાન હોવા છતાં પણ સંસારના જીવોને ઉપકારી તીર્થંકર મહાન હોવાથી તેમને નવકાર મંત્રના પ્રથમ પદમાં કહેવામાં આવ્યા છે, તોપણ સિદ્ધોનું અપમાન થતું નથી અને પ્રથમ પદમાં હોવાથી અરિહંતને સિદ્ધોથી મોટા પણ કહેવાતું નથી, કારણ કે તે પણ સિદ્ધોને વંદન કરે છે. શ્રી જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આ બાબતમાં પ્રશ્ન કરી ઉત્તર આપ્યો છે, એમણે પણ તીર્થંકરને જ પ્રથમ પદમાં માન્ય કરેલ છે. આચાર્ય, ઉપાધ્યાય પોત પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની વ્યવસ્થા ચલાવે છે, છતાં પણ પોતાનાથી પૂર્વ દીક્ષિત પાંચમા પદવાળા સાધુઓને મોટા જ માને છે અને વંદન પણ કરે છે. સમાજમા મુખિયા અને હોદ્દેદાર પોતાની ખાસ યોગ્યતાને કારણે બનાવવામાં આવે છે. છતાં પણ તેઓ પોતાના માતા–પિતા, વડિલો તથા ગુરુ— અધ્યાપકોને પોતાથી મોટા માની વિનય કરે છે. એક સંઘમાં ચાર-પાંચ વ્યક્તિઓને પદ આપવામાં આવે છે તો અન્ય અનેક ગુણવાનોનું અપમાન થઈ જતું નથી. એ હોદ્દેદારોથી પણ અનેક વિશિષ્ટ જ્ઞાની, તપસ્વી શ્રાવક પણ હોય છે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy