SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ : (૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉંમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દૃષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) અધ્યાત્મ દૃષ્ટિએ આ પાંચ પદો સિવાય બીજા કોઈ પણ પદો વંદનીયનમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણસંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન્ન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય; તેમજ ગુણ રહિત કેવળ શરીર કે આકૃતિને પણ વંદનીય કહી શકાય નહિ. આત્માથી તેમજ આત્મગુણોથી રહિત જડ ફોટો તેમજ મૂર્તિને પણ ભક્તિ પ્રધાન વ્યવહારમાં નમસ્કરણીય માનવામાં આવે છે, જે એક પરંપરા માત્ર છે. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, મૂર્તિ પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતા નથી, પરંતુ આવા જ્ઞાનથી સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ નમસ્કાર મંત્રના પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે— (૧) અરિહંત : તીર્થંકર ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તેઓ ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. (૨) સિદ્ધ : આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં ચૌદ પ્રકારે, પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જસિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં વિશેષ હોય છે. સિદ્ધોના ગુણો વિશેષ હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy