________________
N: ૯૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
સેવન કરતાં-કરતાં પણ જે વ્યક્તિ એકાંતમાં રહેતો હોય કે વિચરતો હોય તો શું તેને પાપ લાગે છે? જવાબ:- ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરનારને ગૃહસ્થ જ કહી શકાય, સાધુ ન કહી શકાય. ધન કમાવાના પ્રયોજનથી ગૃહસ્થ ઘણીવાર પરદેશમાં એકલો ઘૂમે છે, તેથી આ આચરણ કરનાર આત્મસાધક નહિ પરંતુ જીવહિંસા તેમજ કામભોગોમાં આસક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. (૩) શંકા – આવું કથન કરવાથી શું બીજાની નિંદા કર્યાનું પાપ નથી લાગતું? જવાબ – કોઈ ચોક્કસ વ્યક્તિની નિંદા ન કરતાં તે વ્યક્તિનો ખોટો દ્રષ્ટિકોણ જાણી, સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવું, તે નિંદા કે પાપ કહેવાતો નથી. ખાડો, કાંટા, કીડા, સર્પ આદિને જોઈને ને આપણે આપણી જાતને બચાવી અને બીજાને બતાવી, તેમનું હિત કરીએ તો એમાં નિંદા શી થઈ? આ જ પ્રમાણે હિંસા તેમજ કુશીલને સમર્થન આપે તેવો માર્ગ કે તેવા સિદ્ધાંત કલ્યાણકારક નથી તેમ સમજાવવું બતાવવું તે પણ નિંદાકારક નથી જ. (૪) શંકા – ઘણા બધા લોકો જે સ્થળે આવતા-જતા હોય અને જ્યાં અનેક વિદ્વાન લોકો પણ આવતા હોય તેવી જગ્યાએ ભગવાન મહાવીર શું નિરુત્તર થવાના ભયથી રોકાણ કરતા નથી? સમાધાન :- ભગવાન મહાવીર વિના કારણ કે વિના વિચાર્યું કોઈ કાર્ય નથી કરતા. તેઓ રાજાના ભયથી કે દેવ-દાનવના ભયથી પણ કાંઈ કરતા નથી પરંતુ
જ્યાં જેવો લાભ જુએ(ધર્મ બાબતો ત્યાં તેવું આચરણ કરે છે. (૫) શંકા – ત્યારે શું ભગવાન એક વણિક જેવા છે જે પોતાના લાભ માટે જ જન-સંપર્ક કરે? સમાધાન :- વણિક તો આરંભ-સમારંભ અને ધન તેમજ કુટુંબ પરિવારમાં મમત્વ રાખે છે તથા મૈથુન સંબંધી કર્મબંધનના કાર્યો કરે છે, અને તેનાથી આત્માની અવનતિ કરે છે, પરંતુ ભગવાન એવા નથી. હા, ભગવાન મોક્ષની સાધનાની અપેક્ષાએ લાભાર્થી–વણિક છે. ભગવાનનો લાભ તો નિર્જરા એટલે કે મોક્ષરૂપ જ છે. સર્વથા હિંસાથી રહિત અને આત્મધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને વણિક (વેપારી) તો આપ જ કહી શકો! () શંકા – ખલ-પિંડ ને મનુષ્ય અને તુંબડાને બાળક સમજી કોઈ પકાવીને ખાય તો તે પાપ થી લિપ્ત બને છે, અને કોઈ મનુષ્ય ને ખલ-પિંડ અને બાળકને તુંબડું માની પકાવી ખાયતો પાપથી લિપ્ત નથી બનતો; તેવું અમારૂ મંતવ્ય છે. સમાધાન – આ પ્રકારનું સાંભળવું કે તેનો પ્રયોગ કરવો બને સાધુજીવન માટે અયોગ્ય છે. સાધુ તો સૂક્ષ્મ ત્રણ-સ્થાવર જીવની આશંકા-અસ્તિત્વથી હંમેશા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org