SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ (૨) નિમ્નોક્ત ભાવોમાં અસ્તિત્વની શ્રદ્ધા રાખવી જોઈએ જેમકે- લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, રાગ-દ્વેષ, ચતુર્ગતિક સંસાર, દેવ-દેવી, મુક્તિ-અમુક્તિ, જીવનું નિજ સ્થાન સિદ્ધિ છે, સાધુ અને અસાધુ હોય છે ઇત્યાદિ. પરંતુ ઉપરોક્ત ભાવો જગતમાં હોતા નથી તેવી બુદ્ધિ(સમજી રાખવી જોઈએ નહિ. આમાં સાચી સમજ અને શ્રદ્ધા રાખવી જોઈએ. (૩) આ જીવ તો પુણ્યવાન જ છે. આ તો પાપી જ છે. સાધુ લોકો ધૂર્ત–ઢોંગી હોય છે. એને જ દાન આપવાથી લાભ થશે, એને દાન આપવાથી કંઈજ લાભ થશે નહિ; આ રીતે એકાંત વચન પ્રયોગ કે આવી એકાંતિક દષ્ટિ(બુદ્ધિો પણ રાખવી જોઈએ નહિ. આ ઉપરોક્ત સર્વભાવોમાં કે એવા અન્ય પણ વિષયોમાં પોતાની ભાષાનો અને સમજ(દષ્ટિ)નો વિવેક રાખતાં મુનિએ સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. - છઠ્ઠા અદયયનનો સારાંશ આ અધ્યયનમાં પરસ્પર આક્ષેપ સાથેની ચર્ચા(શંકા-સમાધાન) છે. વ્યાખ્યાકારોનું મંતવ્ય છે કે આ અધ્યયનમાં ગોશાલક, બુદ્ધ, વેદવાદી, સાંખ્ય મતવાદી તેમજ હસ્તીતાપસ સાથે થયેલ આદ્રકુમાર મુનિની ચર્ચા છે. (૧) શંકા :– ભગવાન મહાવીર સ્વામી પહેલાં સાધના કાલમાં મૌન રાખતા હતા, તપસ્વી જીવન જીવતા હતા, પરંતુ આ વખતે મોટા જન સમુદાયમાં રહે છે, અને ઉપદેશ પણ આપે છે; આ તેનું વર્તન તેના અસ્થિર સિદ્ધાંતને અને ચંચલ સ્વભાવને પ્રગટ કરે છે? સમાધાન :- પ્રભુ મહાવીર પહેલાં ઘાતી કર્મોને ક્ષય કરવા માટે એકાંતવાસ, મૌન અને તપસ્વી જીવન જીવતા હતા. વર્તમાનમાં તેઓ અઘાતી કર્મોના ક્ષય માટે અને તીર્થકર નામ કર્મના ક્ષય માટે ઉપસ્થિત થયેલા લોકોને ધર્મ દેશના આપી મોક્ષ માર્ગમાં જોડે છે. વર્તમાનમાં પણ તેઓ રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી એકલા જ છે, એકત્વમાં જ રમણ કરે છે. તેઓ જ્યારે જે લાભનું કારણ સમજે ત્યારે તે અનુસાર વર્તન-વ્યવહાર કરે છે, પરંતુ કોઈમાં પણ મુચ્છ-મમતા, આસક્તિના ભાવો તેમને હોતા નથી. તેથી તેના ઉપર દોષારોપણ કરવું મિથ્યા છે, કારણ કે તેઓ યશકીર્તિ કે આજીવિકા માટે ધર્મોપદેશ આપતા નથી પરંતુ માત્ર જીવોના કલ્યાણ માટે જ પ્રવચન આપે છે. કૃતકૃત્ય થયેલા તે પ્રભુને સ્વાર્થ સાધનરૂપ કોઈ પ્રયોજન હોતું નથી. (૨) શંકા - સચેત જળ, બીજ, આધાકર્મી(સચેત અચેત) આહાર અને સ્ત્રીઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy