________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ત્યારપછી સૂત્રકારે ફરીથી અધર્મ, ધર્મ અને મિશ્રપક્ષ આ ત્રણે ય વિકલ્પોનો વિસ્તાર કર્યો છે.
(૧) પહેલા અધર્મ વિકલ્પમાં ઉપર કહેવામાં આવેલ પ્રથમ અને તૃતીય વિકલ્પને સમાવિષ્ટ કરીને કથન કરવામાં આવેલ છે. (૨) બીજા ધર્મ પક્ષમાં સંયમ જીવનનું વર્ણન છે. (૩) ત્રીજા મિશ્રપક્ષમાં શ્રમણોપાસક જીવનનું વર્ણન છે.
અંતમાં, આ બીજા અને ત્રીજા સ્થાનને સમ્યક કહી, તેને મોક્ષ પ્રાપ્ત કરનાર કહેવામાં આવેલ છે.
પુનઃ ઉપરોક્ત આ બંને પ્રકારના ત્રણેય સ્થાનોને ધર્મ અને અધર્મ બે વિકલ્પોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૩૩ પાખંડીને અધર્મ પક્ષમાં કહેલ છે. અંતમાં ધર્મ અને અધર્મ પક્ષની અગ્નિ પરીક્ષાનું દાંત દઈ અહિંસા પ્રધાન ધર્મની યુક્તિપૂર્વક પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરમત કે સ્વમતમાં જ્યાં કયાંય પણ હિંસા છે, ત્ર-સ્થાવર પ્રાણીઓનું પીડન છે, તે અધર્મ છે. સાર એ છે કે –
સર્વ જીવ રક્ષા, એ જ પરીક્ષા, ધર્મ તેને જાણીએ; જ્યાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ તેને જાણીએ.
ત્રીજા અધ્યયનનો સારાંશ
(૧) વનસ્પતિ જીવ પૃથ્વીના આશ્રયથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. બાદમાં યથા સંયોગ પ્રમાણે છ એ કાયાના જીવોના શરીરને અચિત બનાવી તેનો આહાર કરે છે. (૨) તે વૃક્ષની નિશ્રામાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વી સ્નેહને બદલે વૃક્ષ સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પછી સંયોગ પ્રમાણે છે કાયનો આહાર કરે છે. (૩) તે વૃક્ષમાં કલમ કરવાથી અન્ય વૃક્ષ તેમજ લતાઓ પણ ઉપજે છે, તે પણ આ વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૪) જલયોનિક વનસ્પતિ જીવ પૃથ્વીની જગ્યાએ જળના સ્નેહનો પ્રથમ આહાર કરે છે બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૫) આ દરેક વનસ્પતિઓના મૂળ, કંદ આદિ બીજ પર્યન્ત દસ વિભાગ હોય છે. તે વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પ્રથમ આહાર પછી તે વનસ્પતિ સંયોગ પ્રમાણે છે એ કાયા નો આહાર કરે છે. (૬) મનુષ્ય માતા-પિતાના શુક શોણિત મિશ્રણના સ્નેહનો સર્વ પ્રથમ આહાર કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org