________________
-
જો
'
ર
—
અ
-
*
૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આવવા છતાં કયારેય પણ ઔષધ કે ચિકિત્સા વગેરે ન કરતા. (ર) તેઓ ક્યારેય પણ શરીર ઉપર વિલેપન કરતા ન હતા. ઠંડી અને ગરમીમાં આતાપના લેતા અને ઉપવાસથી માંડીને છ માસ સુધીની અનેક તપશ્ચર્યા કરતા જ રહેતા. (૩) તેઓ સંયમમાં કે ગવેષણામાં ક્યારે ય કોઈપણ જાતનો દોષ ન લગાડતા. માર્ગમાં અન્ય આહારાર્થી પશુ-પક્ષી કે યાચકો હોય તો તેને ઉલ્લંઘીને ભગવાન ભિક્ષાર્થે જતા નહીં અથવા તે જીવોને અંતરાય ન પડે એવી રીતે વિવેકપૂર્વક જતા. (૪) એકવાર આઠ માસ સુધી નિરંતર પ્રભુએ ભાત, બોરચૂર્ણ અને અડદ, આ ત્રણ વસ્તુ સિવાય કોઈપણ આહાર લીધો ન હતો. (૫) કયારેક સંસ્કારિત, કયારેક અસંસ્કારિત, સૂકો (લુખો)ઠંડો, વાસી, પુરાણાજીર્ણ ધાન્યથી બનેલો અને નીરસ, જેવો આહાર મળતો અથવા કયારેક ન પણ મળતો, તો એમાંય પ્રભુ સંતોષ માનીને પ્રસન્ન રહેતા હતા. () ભગવાન કપાય રહિત, વિગયોની વૃદ્ધિ રહિત અને શબ્દાદિની આસક્તિ રહિત બનીને હમેશાં ધ્યાનમાં લીન રહેતા. પ્રભુ કયારેક ઉથ્વલોક આદિના સ્વરૂપ વિશે અને કયારેક આત્મસ્વરૂપનું અવલંબન લઈને ધ્યાન કરતા હતા. (૭) પ્રભુએ છદ્મસ્થકાળ દરમ્યાન સંયમની આરાધના કરતાં, કયારે ય પણ પ્રમાદાચરણ(દોષ-અતિચાર) નું સેવન કર્યું નથી.
|| નવમું અધ્યયન સંપૂર્ણ
છે
-
-
IT આચારાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ II
-
-
આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધનું સારાંશ અહીં આપેલ છે. દ્વિતીય શ્રુતસ્કંધનું
સારાંશ આચાર શાસ્ત્ર જૈનાગમ નવનીત ભાગ-૩ માં આપ્યું છે.
આ પછી પાના નં. ૦ર વાંચો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International