________________
જ ૬૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
(૪) શ્રમણને જ્યારે શરીરની દુર્બળતા જણાય કે હવે આ શરીર સંયમપાલનમાં અક્ષમ છે, તો તે તૃણ આદિની યાચના કરી યોગ્ય સ્થાનમાં ઇગિતમરણ” સંથારો સ્વીકાર કરે અને તેની વિધિપૂર્વક આરાધના કરે. સાતમો ઉદ્દેશકઃ(૧) ભિક્ષુનિર્વસ્ત્ર રહેવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા ધારણ કરે અથવા લજ્જા નિવારણાર્થે એક ચોલપટ્ટો (કટિબંધનક) ધારણ કરે. શીત, ઉષ્ણ આદિ કષ્ટોને સમ્યક ભાવે સહન કરે. તે ચોલપટ્ટક જીર્ણ થયા પછી તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. (૨) આહાર સંભોગનો ત્યાગ કરવાની, વિભિન્ન પ્રતિજ્ઞાઓ ધારણ કરે. (૩) અંતમાં, વિધિ પ્રમાણે પાદપોપગમન પંડિત મરણનો સ્વીકાર કરે. આઠમો ઉદ્દેશકઃ(૧) ભક્ત પ્રત્યાખ્યાન – કષાય પાતળા પાડે. આહાર ઘટાડે અને અંતે આહારનો ત્યાગ કરે. જીવન-મરણની ચાહના ન કરે. નિર્જરાખેલી બનીને શુદ્ધ અધ્યવસાય રાખે
આયુષ્ય સમાપ્તિ નજીક જાણીને આત્માને શિક્ષિત કરે. યોગ્ય નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સંથારો કરે. કષ્ટ, પરીષહમાં ધૈર્ય ધારણ કરે. નાના-મોટાં જીવો દ્વારા ઉત્પન્ન ઉપદ્રવમાં સહનશીલતાની સાથે શુદ્ધ પરિણામ રાખે. (૨) ઇગિત મરણ – અન્ય કોઈ દ્વારા સહકાર સહયોગની ક્રિયા ન કરાવે(અર્થાત્ કોઈની સેવા ન લે) પરંતુ જરૂરિયાત પડે ત્યારે પોતે સ્વયં શરીરની પરિચર્યા (દબાવવું આદિ) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં ઊઠવું, બેસવું, ચાલવું, સવું આદિ પ્રવૃતિઓ પણ અત્યંત આવશ્યકતા હોય તો કરી શકે છે. (૩) પાદપોપગમન –વૃક્ષની તૂટેલી અને જમીન પર પડેલી ડાળીની જેમ સ્થિરકાય બનીને એકજ આસન પર સ્થિર રહે, પરીષહ, ઉપસર્ગ દઢતાપૂર્વક સહન કરે. શરીર પર કોઈ પગ મૂકીને ચાલે કે કોઈ શરીરને કચડી નાખે, તો પણ ધૈર્યપૂર્વક સહન કરે પરંતુ પોતાનું સ્થાન ન છોડે. મળ-મૂત્ર ત્યાગવા માટે સ્થાન છોડીને જઈ શકે છે. જીવન પર્યત આવી રીતે સહન કરે. સહનશીલતાને જ પરમધર્મ સમજે.
નવમા અદયયનનો સારાંશ
પ્રથમ ઉદ્દેશકઃ(૧) ભગવાન મહાવીર સ્વામીએ હેમંત ઋતુમાં સંયમ અંગીકાર કર્યો હતો. (૨) તેઓ સંપૂર્ણ સંયમ વિધિનું યથાવત્ પાલન કરતા હતા અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિમાં કોઈપણ પ્રકારે ખંડન કે પ્રમાદનું આચરણ નહોતા કરતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org