________________
GG મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
(૫) અંતિમ સમયે શરીરનો(આહારનો) ત્યાગ કરવો એ કર્મ સંગ્રામના મોખરે લડવા સમાન છે અર્થાત્ તે મુખ્ય અવસર છે. આવા સમયે પાદપોપગમન આદિ સંથારો કરવો જોઈએ.
૭
સાતમું અધ્યયન ઉપલબ્ધ નથી, વિચ્છેદ થયેલ છે.
પ્રથમ ઉદ્દેશક ઃ
:
આઠમા અધ્યયનનો સારાશ
(૧) અન્યતીર્થિક સંન્યાસી અથવા અન્ય સંભોગિક જૈન શ્રમણની સાથે આહાર આદિનું આદાન-પ્રદાન કે નિમંત્રણ ન કરવું જોઈએ.
(ર) અન્ય પંથના સાધુઓ વિભિન્ન પ્રકારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ કરતાં હોય છે. તેમની ધર્મ પ્રરૂપણા પણ સત્ય હોતી નથી.
(૩) બધા ધર્મોમાં કોઈને કોઈ પ્રકારે પાપ સેવનને પણ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણોસર તે ધર્મ પૂર્ણ શુદ્ધ ધર્મ નથી.
(૪) ગામ હોય કે નગર હોય અથવા જંગલ હોય; કયાંયથી પણ જે પ્રથમ, મધ્યમ કે અંતિમ કોઈપણ વયમાં બોધ પ્રાપ્ત કરીને સંયમ સ્વીકારે છે અને હિંસાદિ પાપોનો સર્વથા પરિત્યાગ કરે છે, તે મુક્ત થઈ જાય છે.
(૫) સર્વત્ર લોકગત જીવ હિંસાદિ ક્રિયાઓમાં રત છે, તેમને જોઈને મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી હિંસા દંડનું સેવન ન કરે.
દ્વિતીય ઉદ્દેશક :
(૧) આધાકર્મી આહારનો મુનિ મૃત્યુ સમય સુધી પણ સ્વીકાર ન કરે અને શક્ય હોય તો આગ્રહ કરનાર દાતાને પણ ધર્મ સમજાવે.
(૨) અસમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર આદાન-પ્રદાનનો વ્યવહાર ન કરે પરંતુ સમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર વ્યવહાર કરે.
તૃતીય ઉદ્દેશક :
(૧) મધ્યમ વયમાં પણ કેટલાય મુમુક્ષુ આત્માઓ ઉત્કૃષ્ટ સંયમી બને છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org