________________
ઉપદેશ શાસ્ત્ર: આચારાંગ સૂત્ર સારાંશ
વસ્ત્ર સીવવા આદિ વસ્ત્ર સંબંધિત ક્રિયાઓની ચિંતા રહેતી નથી. (૨) શીત-ઉષ્ણ, તૃણ-સ્પર્શ આદિ કષ્ટોને સમભાવથી સહન કરવાથી, સાધકોના કર્મોની મહાન નિર્જરા થાય છે. (૩) આવા વીર પુરુષોના સંયમી જીવન અને શરીરને જોઈને આપણા આત્માને પણ શિક્ષિત અને ઉત્સાહિત કરવા જોઈએ. (૪) સમુદ્રોની વચ્ચે, ઉચ્ચ સ્થાન પર આવેલા અડોલ ટાપુની જેમ ધીર-વીર સાધકને અરતિ આદિ બાધાઓ કંઈ જ કરી શક્તી નથી. (૫) આવા મહામુનિ પોતાના શિષ્યોને પણ આવી જ રીતે શિક્ષણ આપી (સારણાવારણા કરી) સંયમ માર્ગમાં દઢ કરે છે. ચતુર્થ ઉદ્દેશક - (૧) ઘણાં સાધક આત્માઓ શિક્ષાપ્રદ પ્રેરણાયુક્ત વચનોને સહન કરી શકતા નથી, તેઓ સંયમથી અને ગુરુથી વિમુખ બની જાય છે અને ઘણા તો શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. ઐહિક ઇચ્છાઓને કારણે ભ્રષ્ટ થયેલા આવા મુનિઓનું સંયમજીવન નિરર્થક બની જાય છે. (૨) તેઓ સામાન્ય લોકોના નિંદાપાત્ર બને છે (અર્થાત્ લોકો તેમની નિંદા કરે છે.) અને તે જન્મ-મરણ વધારે છે. (૩) ઉત્કૃષ્ટ વૈરાગ્યથી દીક્ષિત થવા છતાં પણ પોતાની ઇચ્છાઓ અને વિષયોને આધીન થઈને કેટલાક સંયમનો ત્યાગ કરે છે. આવા મુનિઓની યશ-કીર્તિ સંપૂર્ણપણે ધૂળમાં મળી જાય છે. (૪) આ બધી અવસ્થાઓનો વિચાર કરીને, મોક્ષાર્થી સાધકહમેશાં આગમાનુસાર જ સંયમ માર્ગમાં પોતાના વીર્યને ફોરવે. પાંચમો ઉદ્દેશકઃ(૧) ગ્રામાદિક કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનું કષ્ટ આવે તો મુનિ તેને સમભાવથી સહન કરે. (ર) સેવામાં ઉપસ્થિત વ્યક્તિઓને મુનિ તેમની યોગ્યતાનો વિચાર કરીને તથા કોઈની પણ આશાતના, વિરાધના ન થાય એવી રીતે અહિંસા, ક્ષમા, શાન્તિ આદિનો ઉપદેશ આપે અને વ્રત-મહાવ્રતનું સ્વરૂપ સમજાવે. (૩) સાધક આત્મા અસંયમી વિચારો અને વ્યવહારોનો ત્યાગ કરે અને સંયમનાશક તત્ત્વોથી દૂર રહે. (૪) આરંભ-પરિગ્રહ, કામ-ભોગ અને ક્રોધાદિ કષાયોનો વિવેકપૂર્વક ત્યાગ કરનાર સાધક કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org