________________
|
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
લ આચારાંગ સત્ર સારાંશ )
પ્રસ્તાવના :
આ સૂત્ર ગણધર સુધર્મામૃત દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કન્ધ (વિભાગ) છે. પ્રથમ વિભાગમાં નવ અધ્યયનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સાતમાં અધ્યયન સિવાયના આઠ અધ્યયન ઉપલબ્ધ છે. દરેક અધ્યયનમાં અનેક ઉદ્દેશક છે. આ વિભાગમાં સંસારથી વિરક્તિ, સંયમ પાલનમાં ઉત્સાહ અને કર્મો સામે યુદ્ધ કરવાની ક્ષમતા-વૃદ્ધિને બળ આપનારી, સંક્ષિપ્ત વાતો શિખામણરૂપે અને પ્રેરણારૂપે કહેવામાં આવી છે. અંતિમ નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના સંયમી જીવનનો અને એમના કષ્ટમય છઘસ્થ કાળનો સંક્ષિપ્ત પરિચય છે. જે સાધકના હૃદયમાં વિવેક અને વીરતા જાગૃત કરે એવા આદર્શરૂપમાં વર્ણવવામાં આવ્યો છે.
બીજા ભૃત સ્કંધમાં, સંયમ આરાધના કરવા માટે જીવનમાં આવશ્યકપદાર્થ, આહાર, વિહાર, શય્યા, ઉપાધિ વગેરેની બાબતોમાં વિવેકનું વિધાન, વિધિ અને નિષેધ વાક્યો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. ભાષા આદિ અન્ય વિષયોની બાબતમાં પણ વિવેકનું સૂચન કરવામાં આવ્યું છે. અંતમાં ર૫ ભાવના સહિત, ૫ મહાવ્રતનું સ્વરૂપ સમજાવીને સાથેસાથે ભગવાન મહાવીર સ્વામીની દીક્ષા પહેલાનું તથા દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના પછી ઉપદેશી ઉપમાયુક્ત ૧૨ ગાથાઓવાળું નાનું વિમુક્તિ” નામક અંતિમ અધ્યયન છે.
આમ, આ આખાય સૂત્રનો વિષય સાધકને સંયમમાં ઉત્સાહિત કરવાની અને એના પાલનમાં સાર્વત્રિક વિવેક અને જાગૃતિ રાખવાની પ્રેરણા આપે છે. પ્રસ્તુત ઉપદેશ શાસ્ત્ર નામક આ સારાંશ પુસ્તક નં. ૨ માં સમાવિષ્ટ કર્યું છે.
- પ્રથમ અધ્યયનનો સારાંશ
=
=
પ્રથમ ઉદ્દેશકઃ(૧) પૂર્વ ભવનું સ્મરણ અને આગલા ભવની જાણકારી તથા આત્મ સ્વરૂપનું જ્ઞાન ઘણાં જીવોમાં હોતું નથી. વિશિષ્ટ જ્ઞાનીના માધ્યમથી કોઈ-કોઈને તે અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org