SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત જ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જનાર છે. લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ વેશ્યા તો આત્માના પરિણામ અર્થાત અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પદુગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધે, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષા એ અહીં -- લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણ વેશ્યાનાં લક્ષણ:- પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં પ્રવૃત્ત, નિર્દય, કર, અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૨) નીલ ગ્લેશ્યાના લક્ષણ – ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ-લોલુપ, સુખેશી, અવ્રતી, શુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ ગ્લેશ્યાવાળો સમજવો જોઈએ. (૩) કાપાત લેશયાનાં લક્ષણઃ-વક્ર, વકઆચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદિષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવવાળો; આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યાવાળો સમજવો જોઈએ. (૪) તેજો વેશ્યાનાં લક્ષણ:- નપ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત,વિનયયુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી; આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો લેશ્યાવાળો સમજવો જોઈએ. (૫) પદ્મ લેશ્યાનાં લક્ષણ :- ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે; આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઈએ. () શુકલ લેગ્યાનાં લક્ષણ – આર્ત-રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે; આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામોવાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલો સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યામોના હોય છે. (૮) વેશ્યાઓની સ્થિતિ :જીવ લેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ! કૃષ્ણલેશ્યા | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો જીવ | નીલલેશ્યા | અંતર્મુહર્ત | પલ્યો અસંહ ભાગ અધિક દસ સાગરો jજીવ | કાપોતલેશ્યા | અંતર્મુહૂર્ત પલ્યો અસં. ભાગ અધિક ત્રણ સાગરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy