________________
૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
સેવન ન કરવું, પેટ ભરીને કયારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત અને તેના નિવાસ રહિત, એકાન્ત સ્થાનમાં રહેવું સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું. (૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે. (૮) કિંપાક ફળ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામ ભોગોનું પરિણામ મહાદુઃખદાયી હોય છે. (૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે. (૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિતમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે, તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી. (૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉંદરોનું રહેવું કયારેય ઉચિત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત હોય છે. (૧૨) પાંચ ઈન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત-દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. (૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઈન્દ્રિયમાં પતંગીયું ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, રસનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે. (૧૫) મોક્ષાર્થી સાધક જલકમલવત્' આ બધા વિષયોમાંવિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે. (૧) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુઃખ આપનાર થતા નથી, અર્થાત તે (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે. (૧૭) આમદુઃખ આ વિષયોમાં નથી, પરંતુ આત્માના રાગ-દ્વેષ જન્ય પરિણામોમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org