________________
જ. ૧૮૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
શ્રાવકો દ્વારા ગુરુઓને વંદન ન કરવામાં બે કારણો સામે આવે છે– (૧) તેની ક્રિયા ઠીક નથી (ર) તે અમારા ગુરુઓને વંદન કરતા નથી કે એના શ્રાવક અમારા ગુરુઓને વંદન કરતા નથી તેથી અમે પણ નથી કરતા.
આમાં બીજું કારણ તો સ્પષ્ટ વ્યક્તિને જૈનત્વથી પણ ટ્યુત કરે છે. કારણ કે જ્યાં ગુરુ પ્રત્યે ગુણ બુદ્ધિ ન રાખતાં મારા-તારાની વૃત્તિ ઘુસી જાય છે, પછી તો તેને ધર્મક્ષેત્રજ કેવી રીતે ગણી શકાય? તેમાં તો કેવળ પોતાની કલુષિત અને સંકુચિત મનોવૃત્તિનું પોષણ માત્ર છે. ત્યાં જૈનત્વનો ભાવ પણ નથી જોઈ શકાતો.
પ્રથમ કારણ પણ કહેવા માત્રનું જ છે. વાસ્તવમાં ક્રિયાનું મહત્વ નહિ પરંતુ તેની પાછળ પણ રાગ દ્વેષાત્મક વિચાર જ વધુ હોય છે, કારણ કે એજ ક્રિયાઓ હોવા છતાં જ્યારે એ ભિન્ન ગચ્છના સાધુ મૈત્રી સંબંધ કેળવી લે છે તો શ્રમણ શ્રમણોપાસક સર્વને માટે વંદનીય બની જાય છે અને જ્યારે કોઈ કષાય વૃત્તિના કારણે એ સાધુઓનો મૈત્રી સંબંધ તૂટી જાય છે તો તેજ શ્રમણો અને શ્રમણોપાસકોને માટે તેજ ક્રિયાઓ રહેવા છતાં પણ એ અવંદનીય બની જાય છે. આમ વંદના ન કરવા પાછળ વાસ્તવમાં ક્રિયા ને બદલે કષાય અને તુચ્છ ભાવોની પ્રધાનતા છે. જ્યારે કોઈ ઉત્કૃષ્ટાચારી વિશાળ શ્રમણ સંઘમાં ભળી જાય છે તો તેના સર્વે સાધુ શ્રાવકોને માટે શ્રમણ સંઘના સંત વંદનીય થઈ જાય છે અને જ્યારે પોતાની કોઈપણ સંકુચિત ભાવનાથી ફરી શ્રમણ સંઘથી અલગ થઈ જાય છે તો શ્રમણ સંઘના સાધુ-સાધ્વી તેના માટે અવંદનીય થઈ જાય છે.
એ શુદ્ધાચારી શ્રમણ-શ્રમણીઓ શ્રાવકોને એમ પણ શિખવાડે છે કે અન્ય જૈન શ્રમણોને વંદન કરવામાં સમકિતમાં દોષ લાગે છે. સમકિત મલિન થાય છે અથવા સમક્તિ નાશ પામે છે. પરંતુ જ્યારે એ જ ઉત્કૃષ્ટાચારી કયારેય શ્રમણ સંઘમાં ભળી જાય છે યા કોઈ ગચ્છ સાથે પ્રેમ સંબંધ જોડે છે ત્યારે તેને વંદન કરવામાં તે શ્રમણો અને શ્રમણોપાસકોનું સમકિત ચાલ્યું જતું નથી; આ ઘણા જ આશ્ચર્યની વાત છે. વળી તે ઉત્કૃષ્ટાચારી ગચ્છોના કોઈ સાધુ આત્મશાંતિ સમાધિને માટે જો ગચ્છનો ત્યાગ કરી દે છે તો બીજા જ દિવસે સંપૂર્ણ તે જ ક્રિયાઓ રહેવા છતાં પણ એ શ્રમણ શ્રમણોપાસક તેને અવંદનીય સમજવા લાગે છે. આ મારાતારાનું સામ્રાજ્ય નહિ તો બીજાં શું છે? ક્રિયાનું તો માત્ર બહાનું જ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે.
તથ્ય એ છે કે ઢોલ તો ક્રિયાનો પીટવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મારા-તારા પણાના ઝગડા અને કષાય, કલહ કે અભિમાનનું સામ્રાજ્ય જ અધિક છે.
ધર્મી, શુદ્ધાચારી અને જૈન શ્રમણ શ્રમણોપાસક તથા વીતરાગ માર્ગના અનુયાયી કહેવડાવનારાઓને પોતાની આ રાગ દ્વેષાત્મક વૃત્તિ પ્રત્યે શરમ આવવી જોઈએ અને તે વૃત્તિનો ત્યાગ કરી પ્રેમ અને સહૃદયતાનું ઝરણું સમાજમાં વહાવીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org