SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૧૦ : વંદન વ્યવહાર ચર્ચા परियाय परिस पुरिसं, खेत्त कालं च आगमं गाउं । ાળગાણુ ગાવે, નારદ નH ન નો↑ [૪રૂ૭૨ वायाए - णमोक्कारो हत्थुस्सेहो य सीसणमणं च । સંપુષ્કળ, અચ્છા હૈં, છોમવર્ળ, વર્ષાં વા ૪રૂ૭૨ || एयाइँ अकुव्वतो, जहारिहं अरिह देसिए मग्गे । ॥ મવરૂ પયળ મત્તિ, અત્તિમંતાવિયા વોસા ||૪૩૭૪|| ભાવાર્થ : દીક્ષા પર્યાય, પરિષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જ્ઞાન વગેરે કોઈ પણ કારણને જાણીને ચારિત્ર ગુણથી રહિતને પણ યથાયોગ્ય ‘મર્ત્યએણ વંદામિ’બોલવું, હાથ જોડવા, મસ્તક નમાવવું, સુખસાતા પૂછવી, તેમની પાસે ઊભા રહેવું, સંક્ષિપ્ત વંદન, પરિપૂર્ણ વંદન વગેરે ક્રમિક યથાવશ્યક વિનય વ્યવહાર કરવો જોઈએ, કારણકે અરિહંત ભગવાનના શાસનમાં રહેવા છતાં ભિક્ષુને ઉપચારથી પણ યથાયોગ્ય વ્યવહાર ન કરવાથી જિનશાસનની ભક્તિ નથી થતી, પરંતુ અભક્તિ જ થાય છે. જેથી લોક નિંદા વગેરે અન્ય અનેક દોષ ઉત્પન્ન થાય છે. પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે—– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિનશાસન પ્રાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે. ૧૩ આથી ક્યારેક સકારણ મર્યાદિત વંદનાદિ વ્યવહાર ગીતાર્થના નિર્ણય અનુસાર રાખવાનું આવશ્યક પણ થઈ જાય છે. ત્યારે પોતાના આગ્રહથી કે અવિવેકથી ઉદંડતા કોઈએ ન કરવી જોઈએ. વંદનીય અવંદનીયનું સામાજિક સૂક્ષ્માવલોકન પૂર્વકાલમાં પાર્શ્વનાથ ભગવાનના રંગબેરંગી વસ્ત્રવાળા, સદા પ્રતિક્રમણ પણ નહિ કરવાવાળા, કલ્પ મર્યાદાનું પણ પાલન નહિ કરવાવાળા વગેરે વિચિત્ર અનેભિન્ન સમાચારીવાળા શ્રમણ ગામ, નગરમાં આવી જતા તો ત્યાંના શ્રમણોપાસક તેઓના દર્શન, સેવા, પર્યુપાસના વગેરે કરતા હતા અને ભગવાન મહાવીરના શ્રમણ આવી જતા તોપણ તે જ પ્રમાણે વ્યવહાર કરતા હતા. આજ પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગચ્છ સમુદાય સમાચારીનો ભેદ રાખ્યા વિના શ્રાવકોનો વ્યવહાર સમસ્ત માન્ય શ્રમણોની સાથે એક સરખો જોવામાં આવે છે. અન્ય પ્રાંતોમાં કેટલાય શ્રમણ અને શ્રમણોપાસક એક બીજા ગચ્છના શ્રમણો પ્રત્યે હીન ભાવના, ઉપેક્ષા અથવા અનાદર ભાવના રાખે છે અને મારા-તારાપણું ગુરુઓ પ્રત્યે રાખીને શુદ્ધ વ્યવહારથી વંચિત રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy