________________
છે. ૧૦૯ી
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત જ
ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કષ્ટો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં અનાથ જ છે.
– ઉત્તર, અ—૨૦, ગા—૩૯૪૧ (૯) ગળું કાપી નાખવાવાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શક્તી, જેટલુંખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલ પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે.
– ઉત્તરા–૨૦, ગા–૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાના અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વીણી વીણીને, તેને કાઢતા રહેવું જોઈએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી.– દશર્વે, ચૂડ—૨ ગા–૧ર થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.–ઉત્તરા,અ–૧૫, ગા–પ. Fી રે પાર્થસ્થાદિ વિષે તુલાનાત્મક વિચારણા કરી
પાÖસ્થાદિ એ કુલદશ દૂષિત આચારવાળા કહ્યું છે. આગમના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – ‘યથાશ્ચંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદનવ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. (ર) બીજી શ્રેણીમાં – પાર્શ્વસ્થ”, “અવસન’ ‘કુશીલ', “સંસક્ત’ અને ‘નિત્યક એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', “પ્રેક્ષણિક, “મામક” અને “સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ-દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા આપવાનું પણ પ્રાયશ્ચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org