________________
આ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ પાસત્યાદિ સ્વરૂપ
૧૦૫
નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. શુમં ભવતુ સર્વ નિથાનામ્ સર્વ નિગ્રંથોનું શુભ થાઓ. I , સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા ,
(૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વસંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો.
– આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક–૮/૧ (૨) કોઈપણ વ્યક્તિને આ (તે) “કુશીલિયો છે” “શિથિલાચારી છે” “આચાર ભ્રષ્ટ છે ઈત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક –૧૦/૧૮ (૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. -સૂય અ–૨, ઉ–, ગા–ર (૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને– ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત-નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઈએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઈએ. - આચાઇ ૧/૫ અને પ્રશ્ન–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ ૧૩ અને ૧૫. (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ-કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે.
–ઉત્તરા,અ-૩, ગા૦-૧ર (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશવૈ–૮, ગા–સર (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે.
– સૂય–૧, અર, ઉ–૧, ગા—૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org