________________
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૪ : ચૌદ નિયમ
ચીજો તેમજ શેરડીનો રસ આ બધાને મીઠા વિગયમાં ગણવા. પરંતુ જે ચીજ સાકર ગોળ વગર સ્વાભાવિક જ મીઠી હોય તો વિગયમાં ન ગણવી. જેમકે ફળ, મેવા, ખજૂર આદિ. દહીંથી બનાવેલ શાક, કઢી આદિમાં દહીંને વિગય ગણવામાં આવતું નથી. (૪) પત્ની(પગરખા) :– પગમાં પહેરવાના જોડા, ચંપલ આદિની અને ચામડા, રબર આદિની મર્યાદા કરવી તથા જોડી નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો તથા ભૂલનો આગાર. ખોવાઈ જાય તો બીજી જોડી લેવાનો આગાર રાખી શકાય છે. ઘરના બધા ઉપરાંત પણ ત્યાગ કરી શકાય છે. મોજા વસ્ત્રમાં ગણવામાં આવે છે. (૫) તાંબુલ :– મુખવાસની ચીજો જેમ કે– સોપારી, એલચી, વરીયાળી, પાન, ચૂર્ણ ઇત્યાદિ જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને અલગ-અલગ પણ. જે ઇચ્છા હોય તે પ્રમાણે ગણવી. (૬) વસ્ત્ર ઃ- પહેરવાના વસ્ત્ર અને કામમાં લેવાના વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે ખમીશ, પેંટ, રૂમાલ, ટુવાલ, મુહપતિ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજા આદિ. (૭) કુસુમ :- સૂંઘવાના પદાર્થોની મર્યાદા કરવી, જાતિમાં.જેમ કે—તેલ અત્તર આદિ કોઈ ચીજ પરીક્ષા ખાતર સૂંઘવામાં આવે જેમ કે ઘી, ફળ આદિનો આગાર. ભૂલ અથવા દવાનો આગાર.
ન
(૮) વાહન :-- બધા પ્રકારની સવારીની. જાતિ તથા નંગમાં મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, ઘોડાગાડી, સ્કૂટર, રિક્ષા, મોટર, રેલ, આદિ. વિશેષ પ્રસંગ માટે પાંચ નવકાર મંત્રના આગારથી જાતિ અને નંગની મર્યાદા કરવી. હવાઈ જહાજનો ત્યાગ. (૯) શયન ઃ- પાથરવાની તથા ઓઢવાની ગાદી, તકીયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવી જાય તો તેનો આગાર તથા જ્યાં ચીજની ગણતરી જ ન થઈ શકે એવા પ્રસંગોનો પણ આગાર. એક જગ્યાએ બેસવાનું સુવાનુ ગણવાનો કાયદો પણ કરી શકાય છે. જેમ કે ગાલીચા, ગાદલા, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોયતો તેના પર બેસવાનું એક ગણવું. જેવી સુવિધા અને સરળતા હોય તે પ્રમાણે પોતાનો નિયમ બનાવીને મર્યાદા ધારણ કરવી. રોજ કામમાં આવવાવાળાનો આગાર રાખીને નવાની મર્યાદા કરી શકાય છે.
Jain Education International
૧૪૯
&
(૧૦) વિલેપન ઃ— જેટલી પણ લેપ અથવા શૃંગારની ચીજો શરીર પર લગાડાય તે જાતિની મર્યાદા કરવી. જેમ કે— તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલીન, પાવડર, ક્રીમ, કુંકુમ, હિંગળો, મહેંદી આદિ. જમ્યા પછી ચીકણા હાથ અથવા બીજા સમયમાં કોઈ પણ લેપ પદાર્થથી હાથ ભરાઈ જાય તો તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલ તેમજ દવાનો આગાર.
(૧૧) બ્રહ્મચર્ય :- સંપૂર્ણ રાત દિવસને માટે મૈથુન સેવનનો ત્યાગ અથવા મર્યાદા
For Private & Personal Use Only
www.jainelibrary.org