________________
૧૪૬,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :
જલદીથી જલદી પ્રાપ્ત થાય કે જેથી હું મુનિ બનું. (૩) ત્રીજો મનોરથ – જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરશે. મારે પણ મરવાનું અવશ્ય છે. મોત ક્યારે અથવા કેવી રીતે આવશે તેની કંઈ ખબર નથી, તેથી મારો તે દિવસ ધન્ય થશે કે જ્યારે હું મૃત્યુ સમયને નજદિક આવેલો જાણીને સંલેખના, સંથારાને માટે તત્પર થઈશ. તે સમયે પૂર્ણ હોશમાં રહેતા હું સંપૂર્ણ કુટુંબ પરિવાર ના મોહ, મમત્વભાવને છોડીને આત્મભાવમાં લીન બનીશ. બીજા અનેક જગતના પ્રપંચ અથવા જગત વ્યવહારની વાતોને ભૂલીને માત્ર આત્મ આરાધનાના વિચારોમાં રહીશ.
૧. હું પોતે સાવધાની પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ કરીશ. ૨. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોની શુદ્ધિ કરીશ. ૩. બધા જીવો સાથે ખમતખામણા કરીશ. અર્થાત્ કોઈની સાથે વેરવિરોધ ન રાખતા, બધા જીવોને મારી તરફથી ક્ષમા આપીશ. કોઈની પ્રત્યે નારાજી ભાવ નહીં રાખું. પહેલાની કોઈ નારાજી હશે તો તેને યાદ કરીને દૂર કરીશ. આ રીતે આત્મામાં ક્ષમા, શાંતિ આદિ ગુણોને ધારણ કરતો હુંધર્મચિંતનમાં લીન રહીશ. પહેલા લાગેલા પાપોની આલોચનાપ્રાયશ્ચિત કરીને, આત્મશુદ્ધિ કરી સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ભગવાનની આજ્ઞાનો આરાધક થઈશ તે દિવસ મારો ધન્ય થશે.
હે પ્રભુ! જ્યારે મારો મૃત્યુ સમય નજીક આવી જાય ત્યારે મને આભાસ થઈ જાય કેહવે થોડીજ અંતિમ ઉંમર બાકી છે. હવે મારે પંડિત મરણને માટે તૈયાર થઈ જવું જોઈએ અને આવું જાણીને હું આજીવન અનશન સ્વીકાર કરી લઉં.
અંતમાં હે ભગવાન! મારી આ ભાવના છે કે તે ભવ, તે દિવસ તે સમય, મારા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય જેથી હું આઠકર્મ ક્ષય કરીને સિદ્ધ, યાને મુક્ત થઈ જાઉં. તે સમયે મારા આત્માને માટે પરમ કલ્યાણકારી થશે.
તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન શક્તિસાર વરતે સહી, પાવે શિવ સુખ ધન ૧ પતિત ઉદ્ધારન નાથજી, અપનો વિરુદ્ધ વિચાર! ભૂલ ચૂક સબ માહરી, ખમજો વારંવાર | ૨ || છૂટં પિછલા પાપસે, નવા ન બાંધુ કોય ! શ્રી ગુરુ દેવ પ્રસાદ સે, સફલ મનોરથ હોય | ૩ અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ ! અંતર્ગત ન્યારો રહે, જ્યુ વાય ખિલાવે બાલ | ૪ || ધિક ધિક મારી આત્મા, સેવે વિષય કષાય ! હે જિનવર તારો મુજે, વિનતી વારંવાર . પ . આરંભ પરિગ્રહ કબ તજું, કબ હું મહાવ્રત ધાર ! સંથારો ધારણ કરું, એ ત્રણ મનોરથ સાર | ફ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org