________________
ક ૧૪ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
- મનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ | (૧) અચેતનો ત્યાગ– સચિત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ- મુનિના સનધ્યમાં પ્રવેશ કરતાં મુહપત્તી રાખવી અર્થાત્ ઉત્તરાસંગ કરવું (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઈએ.
વત ધારણ કરવાની સરળ સંક્ષિપ્ત વિધિ |
સૂિચના :– કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું. સમ્યકત્વ –દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવસુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ-વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેની આગાર. (૧) પહેલું વ્રત – જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસજીવને મારવાના પચ્ચખ્ખાણ, પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. (૨) બીજું વ્રત – પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ-ત્રણ યોગથી જીવન પર્યત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજું વ્રત – પાંચ પ્રકારની મોટી ચોરીને સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત:- (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ () ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત – ખેતી (), કુલ મકાન, દુકાન(), બાકી પરિગ્રહ રૂપિયામાં () અથવા સોનામાં (); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org