________________
એ જ
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જેનાગમ નવનીત
ગમ નવનીત
(૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે. (૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. તે પક્ષીની જેમ સંગ્રહ વૃત્તિથી મુક્ત રહે. (૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઇપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસકિતથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી.
તેની દશા “બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરું રટણ બિલ્લીના ઝપાટામાંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો જન્મ-મરણના દુઃખથી છૂટી શકતાં નથી.
સાતમું અધ્યયન દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા
(૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જુદું કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ પ્રકારે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્માચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લૂંટારો, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઇચ્છિત ભોગોનું સેવન કરી, દુ:ખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી (કડી)ને લેવા જતાં મનુષ્ય હજાર સોના મહોરોને ગુમાવે છે, અપથ્યકારી કેરીને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે, તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે. (૫) ત્રણ પ્રકારના વણિક–૧. લાભ મેળવનારા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરનારા
૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેનારા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org