________________
કે ૧૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :
ચોરી કરનારાનું જીવન અનૈતિક હોય છે, કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. કયારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને કયારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે વોરી ! માત મોરી મેં તથા
रहे न कोडी पाप की, जिम आवे तिम जाय ।
लाखों का धन पाय के मरे न कफन पाय ॥ તેથી શ્રાવક આવા ધૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે. ચોથા વ્રતનું પ્રયોજન -
અવંમર વોરં, પમાય ફુરદિરિયે –દશવૈ. અધ્ય–૬ ગા. ૧૬ પૂનમેય મદમસ્ત, મહાવોસમુN A દશવૈ. અધ્ય–૬, ગા. ૧૭
કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાનદોષોને ઉત્પન્ન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોએ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઈએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી જોઈએ, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાથ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે.
બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્યઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે. તવેલું વા ૪ત્તમ મવેર -સૂત્રકૃતાંગ, અધ્ય.—. પાંચમા વ્રતનું પ્રયોજન -
ફૂછી શું સમા અનંતયા ! –ઉત્ત—૯ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डई । -6t०-८ “મહારમી મહાપરિગ્રહી ” નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪ વિયાળા ડુક્રવવિદ્ધ થd, મમત્તગંધં રહી ગયાવર્દી–ઉત્ત૧૯
ઇચ્છાઓ અસીમ છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. ધન અને તેનું મમત્વ દુઃખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહાભયવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org