________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત
૧છે.
દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન - દેવ-સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ મહાવ્રત, સમિતિ, ગુપ્તિયુક્ત તેમજ ભગવદ્ આજ્ઞાનું પાલન કરવાવાળા આરાધ્ય–ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ, આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ–પાપ ત્યાગ રૂપ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્ત્વોનું જ્ઞાન કરીને, સમ્ય શ્રદ્ધા કરવી તેને સમ્યગ્દર્શન કહે છે. (૧) પહેલા વ્રતનું પ્રયોજન :
सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणीवहं घोरं, णिग्गंथा वज्जयंति णं ॥ दया धर्म का मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडिए, जब लग घट में प्राण ॥ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દÍતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વેરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે.
તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂમ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. (ર) બીજા વ્રતનું પ્રયોજન –
मुसावाओ य लोगम्मि, सव्वसाहुहिं गरहिओ । अविस्सासोय भूयाणं, तम्हा मोसं विवज्जए ॥ सांच बराबर तप नहीं, जूठ बराबर पाप ।
जांके हृदय सांच है, ताँके हृदय आप ॥ જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાય જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્થૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂમિ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કહ્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજન:
चोरी कर होली धरी, भई छिनकमें छार । ऐसे माल हराम का, जाता लगे न बार ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org