________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વત
૧૧
દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાયતો ધર્મી તેમજ વ્રતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે. વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર રમે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દરજ્જામાં પણ છોડવા યોગ્ય છે. શ્રાવકની સમજ તથા શ્રદ્ધા – શ્રાવક જીવન સ્વીકાર કરનારા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરનારાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત-પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી (લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસકિતભાવ હોતો નથી. તેને પહેલો અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે ગૃહસ્થ જીવનનો ભાર કોઈને સોંપીને નિવૃત્ત થાઉં (૨) ક્યારે હું સંયમ ધારણ કર્યું. તે દિવસ મારો ધન્ય થશે.
શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે-સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન -
વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરનારા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ-સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયાપ્રધાન, અહિંસાપ્રધાન અથવા પાપત્યાગ રૂપ સંવર, નિર્જરામય ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં કયારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યગ્રજ્ઞાન કરીને સમ્યગુ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા સમ્યગુદર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમાજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે. સમ્યકત્વ સંબંધી વિવિધ જાણવા યોગ્ય વિષયોને એક સ્તવનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org