SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત — દીક્ષા પર્યાય, ૪૦ વર્ષની વય હોવી તે તો સૂત્ર પ્રમાણ મુજબ પણ જરૂરી છે. બિન જરૂરી કે ગેરવ્યાજબી કારણોસર વિહાર કરનાર એકલવિહારી શ્રમણ શિથિલાચારીનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને સંયમનો વિરાધક બને છે. ૧૫. ઠાણાંગ સૂત્ર, ઠાણા-૭માં ઃ- ગણાપક્રમણના સાત કારણ દેવામાં આવેલ છે, જેમાં સાતમા કારણમાં એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરવાનો સંકલ્પ છે. અહીંયા ગણાપક્રમણનું કથન હોવાથી આ એકલવિહાર સપરિસ્થિતિક છે. અપરિસ્થિતિક (વિશેષ તપ ત્યાગ માટે સ્વીકારેલ એકવિહારી પણું) એકલવિહાર રૂપ ડિમા ધારણ કરવાને ગણાપક્રમણ કહેવામાં આવતું નથી. તે તો આચાર્યની નિશ્રા તેમજ સંપદામાં જ ગણવામાં આવે છે. તૃતીય વિભાગના પ્રમાણો એકલ વિહારી સંબંધી અન્ય વિધાન - ૧.આચારાંગ સૂત્ર, શ્રુત-૧, અધ્યયન-૫, ઉદ્દેશક-૪ માં ઃ- અવ્યક્ત તેમજ અશાંત સ્વભાવવાળાને એકલવિહારનો નિષેઘ કરવામાં આવેલ છે. તેમજ તેનું અહિતકારી પરિણામ બતાવેલ છે. જ્ઞાનથીબહુશ્રુત ન હોય તે ‘અવ્યક્ત’ છે. વયમાં—સોળ વર્ષથી પૂર્વ ‘અવ્યક્ત’ છે. સંયમ પર્યાયથી—ત્રણ વર્ષથી પૂર્વ ‘અવ્યક્ત’ છે. ૨. સૂયગડાંગ સૂત્ર, શ્રુત-૧, અધ્યયન–૧૪ માં ઃ- વર્ણન છે, કે પાંખ આવ્યા પહેલા પંખી માળામાં રહે તો જ તેની સલામતી છે, તેવી જ રીતે સાધુને ‘અવ્યક્ત અવસ્થા સુધી ગુરુકુળમાં જ રહેવું શ્રેયકર છે, નહીં કે સ્વતંત્ર વિચરણ કે એકલ વિહારચર્યા ! ૩. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૩ માં ઃ- નવદીક્ષિત(૩ વર્ષ), બાળક(૧૬ વર્ષ) તેમજ તરુણ(૪૦ વર્ષ) વય સુધીના ભિક્ષુઓને આચાર્ય-ઉપાધ્યાયના નેતૃત્વવિના રહેવાનો એકાંતે નિષેધ કરેલ છે. અહીંયા એવું પણ કહેવામાં આવેલ છે કે આવી ત્રણ અવસ્થાના સાધુ હંમેશા(આચાર્ય-ઉપધ્યાય) બેના નેતૃત્વમાં જ રહે છે. સારાંશ એ જ કે આ ત્રણ અવસ્થાવાળાને ગચ્છથી મુક્ત એકલવિહાર ચર્ચા ધારણ કરવાનો સ્પષ્ટ નિષેધ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, આ ત્રણ, અવસ્થા સુધી તો ધૈર્ય રાખી ગચ્છવાસી(ગચ્છ સાથે) બની રહેવું જરૂરી છે. એવું પણ આ સૂત્રથી સ્પષ્ટ છે કે આચાર્ય-ઉપાધ્યાય વિના કોઈ સાધુએ કે સાધુગણને રહેવું એ આગમની રીતે ઉચિત ન કહેવાય. કારણકે આ સૂત્રમાં પ્રશ્નના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy