SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ હિ યતિર્મોક્ષ વિકૃતિ । જેનું મન સાધુ વેશ ધારણ કર્યા પછી પણ વિષયાસક્ત રહે છે, એનો આત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. ર૪ર કોશાએ લાખો પ્રયત્ન કર્યા પણ સ્થૂલિભદ્ર મુનિનું મન વિચલિત ન થયું. પૂર્ણ નિર્વિકાર ભાવે તે તેની સાધનામાં મસ્ત રહેતા હતા. જેમ અગ્નિ પર શીતળજળ પડવાથી તે શાંત થઈ જાય છે તેમ સ્થૂલિભદ્ર મુનિનું શાંત અને વિકાર રહિત મુખમંડલ જોઈને વેશ્યાનું વિલાસી હૃદય શાંત બની ગયું. પછી સ્થૂલિભદ્ર મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને તેણીએ બાર વ્રત ધારણ કરી લીધાં. ચાતુર્માસની સમાપ્તિ થવાપર ચારે ય શિષ્યો ગુરુની સેવામાં પહોંચી ગયા. સિંહગુફા, સર્પનું દર અને કૂવાના કિનારા પર ચાતુર્માસ કરનાર મુનિઓએ આવીને ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુએ તેઓની પ્રશંસા કરતાં કહ્યું– તવુ⟨: : હે મુનિઓ ! તમે દુષ્કર કાર્ય કર્યું છે. પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર મુનિએ પોતાનું મસ્તક ગુરુના ચરણમાં ઝુકાવ્યું ત્યારે ગુરુએ કહ્યું– ધૃતપુર: તું; હે મુનિ ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે. સ્થૂલિભદ્રને ગુરુએ જ્યારે અતિ દુષ્કર કાર્ય માટે શાબાશી આપી ત્યારે ત્રણે ય મુનિઓનાં હૃદયમાં ઈર્ષ્યાભાવ ઉત્પન્ન થયો. જ્યારે બીજું ચાતુર્માસ આવ્યું ત્યારે સિંહગુફામાં વર્ષાવાસ કરનાર મુનિએ ગુરુ પાસે કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. પરંતુ ગુરુએ તેને આજ્ઞા ન આપી. ગુરુની આજ્ઞા વિના તે મુનિ કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા માટે ગયા. કોશાએ પોતાની ચિત્રશાળામાં તે મુનિને ચાતુર્માસ કરવાની અનુમતિ આપી. પરંતુ વેશ્યાના રૂપ અને લાવણ્યને જોઈને મુનિ પોતાની તપસ્યા અને સાધના ભૂલી ગયા. તે વેશ્યાના પ્રતિ પ્રેમ નિવેદન કરવા લાગ્યા. એ જાણીને વેશ્યાને બહુ દુઃખ થયું. ધર્મ પામેલી વેશ્યાએ મુનિને સન્માર્ગ પર લાવવાનો ઉપાય શોધી કાઢયો. તેણીએ મુનિને કહ્યું– મુનિરાજ ! પહેલાં મને એક લાખ સોનામહોર આપો. મુનિએ કહ્યું– હું ભિક્ષુ છું. મારી પાસે ધન ક્યાંથી હોય ? વેશ્યાએ કહ્યું– તો તમે નેપાલ જાઓ. નેપાલના નરેશ દરેક ભિક્ષુને એક એક રત્નકંબલ પ્રદાન કરે છે તેનું મૂલ્ય એક લાખ સોનામહોરનું છે. માટે તમે ત્યાં જઈને મને એ રત્નકંબલ લાવી આપો. કામરાગમાં આસક્ત થયેલ વ્યક્તિ શું ન કરે ? મુનિ પણ પોતાની સાધનાને એક બાજુ રાખીને રત્નકાંબળી લેવા માટે રવાના થયા. માર્ગમાં અનેક કષ્ટો સહન કરતાં કરતાં મહામુસીબતે તે નેપાલ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી એક રત્નકાંબળી મેળવીને તે પાછા ફર્યા. પરંતુ રસ્તામાં ચોર લોકોએ તે રત્નકાંબળી છીનવી લીધી. તે રોતાં રોતાં બીજીવાર નેપાલ ગયા. રાજાને પોતાની રામકહાની કહીને મહામહેનતે તેણે ફરીથી રત્નકાંબળી પ્રાપ્ત કરી. પછી તેણે વાંસળીમાં એ રત્નકાંબળીને છુપાવી દીધી. રસ્તામાં ચાલતાં ચાલતાં ફરી ચોર મળ્યા. તેઓએ ધમકી આપી. મુનિએ કહ્યું– હું ભિક્ષુ છું, મારી પાસે ધન ક્યાંથી હોય ? વાંસળીમાં છૂપાવેલ રત્નકાંબળીને ચોર લોકો જોઈ શક્યા નહીં તેથી ચાલ્યા ગયાં. ત્યાર બાદ મુનિ ભૂખ, તરસ વગેરે અનેક શારીરિક કષ્ટો સહન કરીને છેવટે પાટલિપુત્ર પહોંચ્યા અને કોશા વેશ્યાને તેણે રત્નકાંબળી આપી. પરંતુ કોશાએ તે બહુમૂલ્યવાન રત્નકાંબળીને મુનિ જુએ એ રીતે દુર્ગંધમય અશુચિ સ્થાન પર ફેંકી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy