________________
અવસરે જ્ઞાનચન્દ્રમુનિનો સમાગમ થતાં તેઓશ્રીની સુમધુર ધર્મવાણીના શ્રવણના પ્રભાવથી સંસારપ્રત્યે વિરતચિત્ત બનેલો ભીમસેન દીક્ષાગ્રહણ કરે છે. સંયમધર્મની સાધનામાં મગ્ન બનેલ રાજર્ષિ ભીમસેન જ્ઞાનશિલામાં દુષ્કરતપની આરાધના માંડે છે, પૂર્વ અવસ્થામાં કરેલા મહાપાપકર્મના જ્ગ્યાને તપાગ્નિ દ્વારા ભસ્મીભૂત કરતો એવો તે આ રૈવતગિરિ મહાતીર્થના પ્રચંડ પ્રભાવથી આઠમા દિવસે કેવલજ્ઞાન પામી અવસરે સ્વઆયુષ્ય પૂર્ણ કરી શિવપદનો સ્વામી બને છે.
આ મહાતીર્થના પ્રભાવથી મહાપાપી, મહાદુષ્ટ એવા ફુટરોગી પણ મોક્ષ સુખના સ્વામી બને છે, આ તીર્થ ઉપર કરેલ અલ્પદાન પણ અતિવૃદ્ધિ પામી મુકિતરૂપી સ્ત્રી સાથે સંગમ કરાવે છે, આ રીતે આ તીર્થ ઉપર અનેક મુનિવરો પોતાના અશુભ કર્મોને ખપાવી શાશ્વતપદને પામ્યા છે.
Jain Ed
Entry DJ