________________
અશોકચન્દ્ર
જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ભોમકા ઉપર ચંપાપુરી નામની નાની પણ રળિયામણી નગરીમાં પૂર્વત અશુભકર્મના તીવોદયના કારણે દીર્ધકાલીન દરિદ્રતાના દર્દથી શોકાતુર એવો અશોકચંદ્ર નામનો ક્ષત્રિય વસતો હતો. નિર્ધનપણાની વસમી વ્યથાથી અત્યંત કંટાળી ગયેલો તે સતત ઉદ્વેગ અનુભવતો ગૃહત્યાગ કરી રખડતો રખડતો એક સ્થાનથી બીજે સ્થાને ભટકી રહ્યો હતો.
અનાદિકાળના અશુભકર્મના ધનોર વાદળોના અંધકારને ભેદનારા તેજસ્વી પ્રકાશનું આગમન થતું હોય તેમ માર્ગમાં તપના તાપથી તપાવેલ કંચનવર્ણ કાયાધારણ કરેલ એક મુનિવરનો મેળાપ થયો. મહાત્માના દર્શન થતાંની સાથે જ અશોકચન્દ્ર હાથજોડી નમસ્કાર કરી તે મહાત્માને ખૂબ જ નમ્રભાવે પોતાની દરિદ્રતાનો નાશ કરવાના ઉપાયો પૂછે છે, ત્યારે મહાત્મા કહે છે, “હે વત્સ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આ ભવસંસારમાં ભમવા માટે અસમર્થ હોવા છતાં બળવાન એવા પૂર્વજન્મોમાં ઉપાર્જિત કરેલા કર્મને આધીન બની સુખ-દુખના અનુભવ કરતો હોય છે. તે રીતે તારા પૂર્વભવોના કરેલા દુષ્કતોના ફળરૂપે જ તારું આ દારિદ્ર જણાય છે તેથી અન્ય સેંડો ઉપાયોની વણઝારમાંથી બહાર નીકળી એકમાત્ર રેવતગિરિ મહાતીર્થની સેવાભક્તિ કરવામાં આવે તો અત્યંત અલ્પકાળમાં ભવોભવના અશુભકર્મોના ભુક્કા બોલાઈ જાય છે.”
મહાસંયમીના સુધારસનું આસ્વાદ કરીને સંતુષ્ટ થયેલો અશોકચન્દ્ર રૈવતગિરિ મહાતીર્થ તરફ પ્રયાણ આદરે છે, મહાતીર્થને ભેટવાના મનોરથ સાથે એક એક ડગલે અનેક જન્મોના અશુભકર્મો ખપાવતો અશોકચન્દ્ર મહાતીર્થના પરમસાન્નિધ્યમાં આવે છે.
દરેવતગિરિ સમરૂં સદા, સોરઠદેશ મોઝાર, માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર..” “આ તીર્થપર જે ભાવથી, અલ્પપણ ધર્મને કરે, આ લોકથી પરલોક વળી, પરલોકને તે વરે,
જે તીર્થની સેવા થકી, ફેરા જન્મોના ટળે, એ ગિરનારને વંદતા, પાપો બધા દૂર જતાં...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org