________________
.પાક નાના નાના નાનામામાકાકાકાકી નામાના મામલામાં મને મારા કામના કલાકાતinme: 1:17:::::
(૧૩) ચૌમુખજીનું દેરાસર - (શ્રી નેમિનાથ ભગવાન-૨૫ ઇંચ)
ચૌમુખજીના દેરાસરના હાલ ઉત્તરાભિમુખ મૂળનાયક શ્રી નમિનાથ, પૂર્વાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ અને પશ્ચિમાભિમુખ શ્રી મુનિસુવ્રતસ્વામિ છે. તેની પ્રતિષ્ઠા વિ.સં.૧૫૧૧ આ. જિનહર્ષસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ હોવાના પબાસણના લેખો જોવા મળતાં હતા. આ જિનાલય શ્રી શામળા પાર્શ્વનાથના નામે પણ ઓળખાય છે. જેની પાછળનું રહસ્ય સમજાતું નથી પરંતુ પૂર્વે અન્ય કોઈ કાળે ત્યાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ હોવાની સંભાવના રહે છે. વળી આ દેરાસરની અંદરના પબાસણના ચારેય ખૂણામાં રહેલી ચોરસ થાંભલીમાં એક-એકમાં ૨૪-૨૪ પ્રતિમાઓ એમ કુલ ૯૬ પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે. આ ચાર થાંભલી લગ્ન મંડપની ચાર ચોરી જેવી લાગતી હોવાથી આ જિનાલયને ચોરીવાળું દેરાસર પણ કહેવામાં આવે છે.
વિ.સં.૨૦૫૮ દરમ્યાન આ ચૌમુખજીનો લેપ થયો ત્યારે શરતચૂકથી તેમાં મૂળનાયક શ્રી નેમિનાથ તથા બાકીના ત્રણ ભગવાનમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીના લંછન મૂકાઈ ગયા હોય તેવું જણાય છે.
આ ચૌમુખજીના દેરાસરથી આગળ લગભગ ૭૦-૮૦પગથિયાં ચડતાં ડાબા હાથે સહસાવન શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ તરફ જવાનો માર્ગ આવે છે અને જમણી બાજુ ૧૫-૨૦ પગથિયા ચડતાં ગૌમુખી ગંગા નામનું સ્થાન આવે છે.
ગૌમુખીગંગા :આ ગૌમુખીગંગામાં પ્રવેશ કરતાં જ અંદર હિન્દુ સંપ્રદાયના દેવ-દેવીની પ્રતિમાની દેરીઓ આવે છે ત્યાં જમણી બાજુ નીચાણમાં જવા માટેના પગથિયા ઉતરીને ડાબી બાજુ આગળ જતાં ચોવીસ તીર્થંકર પરમાત્માની ચરણપાદુકા એક ગોખલામાં સ્થાપન કરવામાં આવેલી છે. જેમાં દરેક પગલાંની આગળ તે તે તીર્થકર ભગવાનના નામ કોતરવામાં આવેલા છે. આ ગૌમુખી ગંગાના સ્થાનનું સંચાલન હાલ હિન્દુ સંપ્રદાયના સન્યાસીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ ચરણપાદુકાની પૂજા વગેરે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા જ કરવામાં આવે છે.
1
:111
Sા
છે
તે
કરે છે તો
કાકા: 1:
31 TET 1 i
r rtrl :YT VERIFTTTTTTTTTTriver Erststry છે દિન ૧૦૧
ટાકા B NEW WIN A NE UN Jain Education Intemational
For Private & Personal Use Only
છે
www.jainelibrary.org