SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ insinhirastrians.in:x:xatlificantirattracterists-ritatister: - :ratisexxx:x:x:x:x:51.ithai11:1tisasilisia હોવાથી આ દેરાસર મલવાળા દેરાસર તરીકે ઓળખાય છે. રાજુલગુફા :મલવાળા દેરાસરથી દક્ષિણદિશા તરફ થોડા પગથિયાં આગળ જતાં પથ્થરની એક મોટી શિલા નીચે બખોલ જેવા ભાગમાં નીચા નમીને જવાય છે. જ્યાં લગભગ દોઢ થી બે ફૂટની ઊંચાઈની રાજુલ-રહનેમિની મૂર્તિ સ્થાપિત કરેલી હોવાથી આ સ્થાન રાજુલની ગુફાના નામે ઓળખાય છે. પ્રેમચંદજીની ગુફા (ગોરજીની ગુફા) - રાજુલની ગુફાથી બહાર નીકળી દક્ષિણદિશા તરફની કેડીની વાટે આગળ જતાં ડાબા હાથ તરફ સાતપુડાના કુંડ તરફ જવાની કેડી આવે છે અને જમણા હાથ તરફ વિકટમાર્ગે ઝાડીઓની વચ્ચેથી નીચે ઉતરતાં ઉતરતાં પહાડના છેડે એક મોટી શિલા નજરે ચડે છે. જેની નીચે આ પ્રેમચંદજીની ગુફા આવેલી છે. આ ગુફાની બાજુમાં જ ખીણ હોવાથી ખૂબજ સાવચેતીપૂર્વક આ ગુફાના દ્વારમાં પ્રવેશ કરવો પડે છે. આ ગુફામાં અનેક મહાત્માઓએ સાધના કરેલી છે, જેમાં શ્રી પ્રેમચંદજી મહારાજ નામના સાધુએ અહીં ઘણા લાંબા સમય માટે સાધના કરેલી છે આ મહાત્મા યોગવિદ્યામાં ખૂબજ કુશળ હતા. પોતાના ગુરૂભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે આવ્યા હોવાથી આ સ્થાને રહ્યા હતા. આ કપુરચંદજી મહારાજ વિશે એવું જાણવા મળે છે કે તેઓ અનેકરૂપ ધારણ કરી શકતા હતા અને અનેક સ્થાને જવા માટે તેમની પાસે આકાશગામિની વિદ્યા પણ હતી. આ ગુફા શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીની માલિકીની છે. જેમાં વખતોવખત જરૂરી એવું સમારકામ પણ ભૂતકાળમાં આ પેઢી દ્વારા જ કરાવવામાં આવેલ છે. (શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીની તળેટીની જગ્યામાં ભાતાખાતાની પાછળ આ પ્રેમચંદજી મહારાજના પગલાની દેરી બનાવવામાં આવેલ હતી. જેમાં વિ.સં.૧૯૨૧નો લેખ જોવા મળે છે તેની બાજુમાં દયાલચંદજી મહારાજના પગલામાં વિ.સં.૧૯૨૨ની સાલનો લેખ જોવા મળે છે. હાલ આ બન્ને પગલાં ત્યાંથી ઉત્થાપના કરી અન્ય સ્થાને પધરાવવામાં આવેલ છે.) આ ગુફાની બારોબાર કડીમાર્ગે પૂર્વદિશા તરફ આગળ વધતાં પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. શ્રી પ્રેમચંદજી મહારાજની ગુફાથી પાછા મુખ્યસીડી માર્ગે ભેગાં થઈ લગભગ ૯૦ પગથિયા ચઢતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. રસ્તામાં જમણી બાજુ દિગંબર સંપ્રદાયનું મંદિર આવે છે. r: 1 ::: :::::::::::::::::::::: : :::::::::::::::: :: :::::::: :: - === TEXTTTTTT TTTTTTTTTIES :: 2 ::: | Re B Us | તો , ETTTTTTTTTTEEntervirtar : Extext==== R જીરાવ (ક) WASMAT www.jainelibrary.org r સ રકાર Jain Education Intemational For Private & Personal use only
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy