________________
: - કારતકાકા કક્ષાના રીમાનકરનારાકાકાના કામકાજstricકારના
(૧૪) રહનેમિનું જિનાલય:- (શ્રી સિદ્ધાત્મા રહનેમિજી-૫૧ ઇંચ)
ગૌમુખી ગંગાના સ્થાનથી લગભગ ૩૫૦ પગથિયાં ઉપર ચડતાં જમણીબાજુ આ રહનેમિનું જિનાલય આવે છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે સિદ્ધાત્મા શ્રી રનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. ૬-૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવેલ છે. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર આ જિનાલય હશે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિદ્ધાત્મા શ્રી રહેનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય!
શ્રી રહનેમિ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઈ હતા જેમણે દીક્ષા લઇને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવળજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી.
આ રહનેમિજીના જિનાલયથી આગળ સાચાકાકાની જગ્યાના કઠણ ચઢાવે થઈને કુલ લગભગ ૫૩૫ પગથિયા ચડતાં અંબાજી મંદિર આવે છે.
કે અંબાજીની ટૂંક:
આ અંબાજીની ટૂંકમાં અંબિકાનું મંદિર આવેલું છે. દામોદરકુંડ પાસેનું દામોદરનું મંદિર, ગિરનાર ઉપરનું શ્રી નેમિનાથ ભગવાન તથા અંબાજીનું મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવ્યાનું કહેવાય છે. શિલ્પસ્થાપત્યના આધારે બારમી-તેરમી સદીની રચનાવાળું જણાતું આ મંદિર વસ્તુપાલ-તેજપાલે બંધાયેલું હોવાની વાત કેટલાક લેખો ઉપરથી જાણવા મળે છે. જેમાં શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની પ્રતિમા પધરાવવામાં આવી હતી.
કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રતને અંતે ગ્રંથ પ્રશસ્તિમાં નીચે પ્રમાણે લખાણ છે. श्री अम्बिका महादेव्या, उजयन्ताचलोपरि। પ્રસિદ્ધિઃ વરિતઃ પ્રૌઢઃ સામત્તેન કુમાવતઃ ૨૦ ||
વિ.સં.૧૫૨૪ની આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સામેલ નામના શાહુકારે સદ્ભાવનાપૂર્વક શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવીનું જિર્ણ થયેલ મોટું ચૈત્ય નવેસરથી બંધાવ્યું હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org