SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ | [ 8 ] ઈથી અધ્યયન નહીં કરવામાં આવે ત્યાં સૂધી ગુજરાતને પ્રામાણિક ઈતિહાસ લખી શકવાની આશા રાખવી તે વૃથા છે. જન સાધુઓએ પંદરમા સૈકા પહેલાં ઐતિહાસિક આદિ સાહિત્ય જેમ સંસ્કૃત ભાષામાં રચી સમાજને ઉપકૃત કરેલ છે, તેવી જ રીતે પંદરમા સૈકા પછીના ગૂજરાતી સાહિત્યના મેટા ફાળાથી સમાજ તેમને કહ્યું છે. પંદરમા સૈકા પછીનું ઘણું સાહિ ત્ય (પ્રાચીન) ગૂજરાતી ભાષામાં મળી આવે છે. તેથી તે સૈકા પછીને સાહિત્ય, સમાજ કે રાજ્ય સંબંધીને ઈતિહાસ રચવામાં રાસે, સઝા, સ્તુતિઓ, પ્રબંધ કે વિવાહલા વિગેરે સાધને ઘણેજ અગત્યને ભાગ અર્પણ કરી શકે છે. એટલે પહેલાંના ઈતિહાસ માટે જેમ સંસ્કૃત સાહિત્ય અહિણીય છે, તેવી જ રીતે દરમા સૈકા પછીનું ગૂજરાતી સાહિત્ય તેટલું જ આદરણીય છે. આ સમયના પંદરમા સૈકાથી સતરમા સૈકા સુધીના ઇતિહાસ માટે આ સાધને સિવાય મુસલ્મિન લેખકેના અહેવાલ ઉપર આધાર રાખવું પડે છે. પરંતુ આપણી અને તેમની સંસ્કૃતિ વચ્ચે અનેક ભેટે હેવાને લીધે તેમના ઘણું અહેવાલે શ્રમમૂલક મળી આવે છે. તેમ આપણું ગુજરાતી સાહિત્યમાં રાજકીય બાબતે સિવાય અન્ય અનેક હકીકત સંબંધી પ્રબંધ મળી આવે છે, જેને મુસલમાની સાહિત્યમાં અભાવ હોય છે. એટલે તે ત્રણ-સાડાત્રણ સકાના ઇતિહાસ માટે ગુજરાતમાં આ રાસાનું સાધન એક ઉપયોગી અંગ લેખી શકાય. આવાં સાધનની કેટલી જરૂર છે, તેમ તેનું મૂલ્ય કેવું આંકી શકાય તે વિષે છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના પ્રમુખ બીમાનું પ્રો. બળવંતરાય ક. ઠકે પોતાના ભાષણમાં જણાવે છે કે “ મતલબ કે ઉર્દુ, બંગાલી, ગૂજરાતી આદિ વર્તમાન અને ફારસી, અર્ધમાગધી, અપભ્રંશ, સંસ્કૃત આદિ જુનો ભાવા નું એ સૈકાઓનું-ચોકકસ એ સૈકાઓનું ગણી શકાય એવું સં સાહિત, જે જે મળી આવે, તે તે સોધીને પ્રગટ કરવું, એ એ સમયના ઈતિહાસનું જ એક અતિ મેટું કાર્ય છે. સાહિત્યની કે બીજી કોઈ દષ્ટિએ એ કૃતિઓ ગમે તેટલી ઉતરતી જણાય તથાપિ એ સમયની સંસ્કૃતિને ઇતિહાસ ઘટાવવાને માટે એ જ સર્વોત્તમ સાધન છે” આ ઉપરથી સમજી શકાશે કે આપણને એ સમયને શાસ્ત્રીય ઈતિહાસ ઘડવા માટે રાસાઓ, ભજન, લેકગીત, ગરબા, સ્ત્ર એના રાસાઓ, દુહા, સેરા, લેકવાર્તાઓ વિગેરે જે જે સાહિત્ય ઉપલબ્ધ થાય, તે તે સર્વે આવશ્યક અંગ પૂર્ણ કરી શકે તેમ છે. સાહિત્યષ્ટિ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy