SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) ગુણનિધાન સૂરિ સ્તુતિમાં વિશેષ જે સાધરે નામ આવે છે, તે નગરાજ શેઠના પિતાનું નામ જણાય છે.) સેનપાલની કાંતિ ઘણી મનહર હતી. સિદ્ધાંતસાગર ગુરુ વિચરતા ત્યાં આવ્યા શ્રેણિક રાજાએ જેમ મહાવીર પ્રભુને મેઘકુમાર અર્પણ કર્યો હતે; તેમ માત પિતાએ પૂર્વોકત કુમાર આ ગુરુને અયો. વિ. સં. ૧૫૫ર માં પાટણમાં જ તેને દીક્ષા આપવામાં આવી હતી. થોડા દિવસમાં જ વા વામીની જેમ તે ઘણુ ગ્રંથેના જાણ થયા. ત્યાર પછી વિ સં. ૧૫૬પ માં જંબુનગર જંબુસર) માં ભાવસાગરસૂરિ ગ૭પતિએ તે મુનિને સૂરિપદ આપ્યું હતું. તે વખતે ઉત્સવમાં શ્રીવંશના મંત્રી ધરણે ઘણા ધનને વ્યય કર્યો હતે. ચંબાવતી નગરી (ખંભાત ના પ્રાધ્વંશીય સાહવિજ જાહરે (ઉત્સવ કરી) વિ. સં. ૧૫૮૪ માં તેમને ગચ્છનાયક પદ અપાવ્યું હતું. એ ગુણનિધાનસૂરિ પૂર્વસૂરિઓની જેમ શુભ શાંત રસના સાગર હતા. વિમલ દીતિને ધારણ કરતા ઘણું વરસ સુધી વિચર્યા હતા. અતિશના પાત્ર, ગુણમણના રેહણાચલ, શ્રીજિનશાસનરૂપી વનના સૂરિસિંહ ગુણનિધાન ગુરુ વિબુધ જનેને બેધ પમાડતા ચિર કાલ જયવંતા વર્તો.” રતુતિના અંતિમ આ ઉદ્ગારથી ગુણનિધાન સૂરિની વિદ્યમાનતામાં જ તેમના ગચ્છનાયકપદ પછી તેમના ભક્ત કઈ શિષ્ય આ સ્તુતિ રચી જણાય છે. [ વિ. સં. ૧૬૮૬ માં વા. દેવસાગરે રચેલા વ્યુત્પત્તિ રતનાકરની પ્રશસ્તિમાં પ્રસ્તુત સૂરિના ગુણે વર્ણવ્યા છે (જુઓ જેસલમેરમાં. સૂચી પૃ. ૬૧). પટ્ટાવલિમાં જે ખબર આપી છે, તેના કરતાં આ સ્તુતિમાંથી કેટલીક હકીકતે નવી પ્રાપ્ત થઈ છે. તેમાં જણાવવા પ્રમાણે સૂરિપદ અને ગચ્છનાયકપદ બંને સં. ૧૫૮૪ માં મળ્યાં, પણ આમાં ૧૫૬પમાં સૂરિપદ મળ્યું તેમ જણાવ્યું છે. વળી જન્મના વર્ષ ઉપરાંત આમાં માસ પણ મળે છે. ઉત્સવ કરનારાઓનાં નામ પણ મળે છે. પટ્ટાવલિમાં જણાવ્યું છે કે આ સૂરિ સં. ૧૬૦૧ માં નિર્વાણ પામ્યા. સિદ્ધાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy