SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ (રાસ ૮, પૃ. ૧૦૬-૧૩૩.) મહાન મુગલ સમ્રાટ અકબર બાદશાહના સમયમાં, રાજપૂતાના (મારવાડ) માં કર્મચંદ્ર મંત્રી કરીને ઓસવાલ જ્ઞાતિમાં શુરવીર, બુદ્ધિશાળી અને દાનીપુરૂષ થઈ ગયો. તે એક ઘણે જ ચુસ્ત જન અને કુશલ રાજદ્વારી નરપુંગવ હતા. તેની કીતિ આખા રાજપૂતાનામાં અને મુગલ સામ્રાજ્યમાં ઘણી જ પ્રસરેલી હતી. તેનું કુલ ઘણા પ્રાચીન કાલથી પ્રખ્યાત અને ગૌરવશાલી હતું. તેજ કુલની કીતિનું કાંઈક ગૈરવ વર્ણન કરવા તેમજ ભવિષ્યના માટે સ્થાયિ કરવાના ઉદેશથી ગુણવિનમ નામના વાચકે, એ મંત્રીની વિદ્યમાનતામાંજ, સંવત્ ૧૬૫૫ ની સાલમાં, આ તેને વંશપ્રબંધ-જેમાં તેને અને તેના પૂર્વજોને સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવે છે–ર. અહિ આ એક ખાસ જાણવા જેવું છે કે, ગુણવિનય વાચકની આ ( પ્રબંધરૂપ) કૃતિ સર્વથા સ્વતંત્ર કે મલિક નથી, પરંતુ એક બીજી કૃતિના અનુકરણ-ઘણે ભાગે અનુવાદ-રૂપે જ છે. એ બીજી મિલિક કૃતિ તે, આ પ્રબંધ-લેખકના જ ગુરૂ પાઠક જમસે, સંસ્કૃત ભાષામાં કલેકમય એજ, (“મંત્રી શર્મા પ્રવ”) નામે, સંવત ૧૬૫૦ માં રચેલા ગ્રંથરૂપે છે તેજ ગ્રંથ ઉપરથી, પાંચ વર્ષ પછી વાચક ગુણવિનય, પ્રચત્રિત દેશભાષામાં, આ રચના ઉતારી છે. અને તેનું સૂચન પણ રાસના છેવટે ૧૩ર માં પૃષ્ઠની છેલ્લી કડીમાં દેખી વંશપ્રબંધેરે”—–એ વાકયથી, કરી દીધેલું છે. એનાથી એ સમજી લેવાનું જ છે કે જેટલી હકીકત ઉકત સંસ્કૃત પ્રબંધમાં છે, તે કરતાં નવીન કાંઈ પણ નથી. (અમારે વિચાર એ સંસ્કૃત પ્રબંધ પણ સવિસ્તર વિવેચન સાથે “હિન્દી” માં પ્રકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy