SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. ૪૦ વીરવિજયે અનેક ગ્રંથ અનાવ્યા છે તેમાં સ’શયને દૂર કરે તેવા પ્રશ્નચિ'તામણિ ગ્રંથ મહત્ત્વના અને મુખ્ય છે. આ રાસના કરનાર વીરિવજયનાજ શિષ્ય ર’ગવિજય છે કે જેમણે સ. ૧૯૧૧ ચૈત્ર શુ. ૧૫ સામવારે રાસ પૂર્ણ કર્યાં છે. આ વખતે તપાગચ્છના આચાર્ય તરીકે વિજયદેવેન્દ્રસૂરિ હતા. [ અમદાવાદમાં હજુ એક ઉપાસરા છે કે જે વીરવિજય ત્યાં રહેતા હતા તેથી તેમના નામથી ‘ વીરના ઉપાસી ' કહેવાય છે. હાલ તેમાં સારી મરામત થઇ નવીન સ્વરૂપમાં તે મૂકાયા છે. તેમાં પન્યાસ ગુલામવિજય નિવસેછે અને તે આ રાસ વીવિજયની સ્વગતીથિપર વાંચે છે. ] વીરવિજયમાં કાવ્યકલા ઘણી સુંદર રીતે ખીલી હતી. તેમની ગજરાતી કવિતા જૈનેતર કવિઓની કવિતાને ટક્કર મારે અને ગૂજ રાતી કાવ્યસાહિત્યને શેાભાવે તેવી છે. તેમની રચેલી જૂદી જૂદી પૂજા હાલમાં એટલી બધી પ્રચલિત થઇ ગઇ છે તેનું કારણ તે કાવ્યને પ્રવાહ, ભાવપૂર્ણ અર્થ અને હૃદયને સતાષ આપે તેવા રસ છે અને તેથી શ્રોતાજનોનાં મન તેની સાથે સંગીતના સૂરની મિલાવટ થતાં અતિ રજિત થાય છે. તેમની કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે: ૧ અષ્ટ પ્રકારી પૂજા સ. ૧૮૫૮ ભાદ્રપત શુદ્ધ ૧૨ ગુરૂવાર. રાજનગરમાં. * ૨ સ્થૂલિભદ્રજીની શિયલવેલ સ. ૧૮૬૨ પશ શુદિ ૧૨ ગુરૂવાર રાજનગરમાં. ૩ કાણિક રાજાનું સામૈયું. સં. ૧૮૬૪ શ્રાવણ સુદ ૩ રાજનગર. * ૪ ચાસઠ પ્રકારી પૂજા સ. ૧૮૭૪ અક્ષય તૃતિયા રાજનગર. * ૫ પીસ્તાલીસ આગળની પૂજા સ. ૧૮૮૧ માગશર માનએકાદશી * હું નવણુ પ્રકારની પૂજા સં. ૧૮૮૪ ચૈત્ર શુદ ૧૫. * ૭ દ્વાદશ ( ખાર ) વ્રત પૂજા સં. ૧૮૮૭ દિવાલી રાજનગર. * ૮ પંચકલ્યાણુ પૂજા. સં. ૧૮૮૯ અક્ષય તૃતીયા * ૯ ધસ્મિલકમાર રાસ સ. ૧૮૯૬ શ્રાવણ શુદ્ઘ ૩ રાજનગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy