SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસાગરસૂરિ આ પછી રાસલેખક, શાંતિદાસ શેઠની પ્રશંસા લખે છે અને જણાવે છે કે-શેઠને દિલ્હીપતિએ ખુશી થઈને શિરપાવ આપ્યું હતું. હાથી, ઘોડા બક્ષીસ આપ્યા હતા. જહાંગીરબાદશાહે તેને ઘણે સત્કાર કર્યો હતે. લાખો રૂપીઆ ખર્ચ ચિંતામણિપાર્શ્વનાથનું તેણે મંદિર બંધાવ્યું હતું. તેણે પિતાની લક્ષ્મીવડે જૈન અને બીજી દીનપ્રજાને ઉદ્ધાર કર્યો હતે. અનેક મહેટા ઉમરા તેને માન આપતા હતા. અમદાવાદ, બુહનપુર, વીજાપુર, દીલ્લી, આગરા અને સિંધ વિગેરેના રાજ્યદરબારેમાં તેની ઘણી ખ્યાતિ ફેલાયેલી હતી. એ એ શાંતિદાસ શેઠ રાજસાગરસૂરિને પરમ ભક્ત હતા. સંવત ૧૯૯૮ ના પિષ શુક્લ પૂર્ણિમા, ગુરૂવાર અને પુષ્યનક્ષત્રના યુગમાં, વૃદ્ધિસાગરને, રાજસાગરસૂરિએ સૂરિપદ આપી પિતાના પટધર બનાવ્યા. શ્રીપાલ સાહના પુત્ર સાહ વાઘજીએ આ પ્રસંગે વિપુલ ધન ખર્ચા સૂરિપદને મહત્સવ ઉજવ્યું. રાજસાગરસૂરિએ પિતાની હયાતીમાં ઘણું ઘણાં ધર્મ કર્યા કરાવ્યાં. જેવા કે-બિંબ પ્રવેશ, પ્રતિષ્ઠા, યાત્રા, પંડિત અને વાચક પદ્ધિીદાન, ઉપધાન, માલારોપણ વિગેરે વિગેરે. તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર, વકાણા, શંખેશ્વર, અંતરીક્ષ આદિ તીર્થ સ્થળની સંઘે સાથે યાત્રાએ કરી હતી. ધર્મસાગર ઉપાધ્યાયે જે વિચારે પ્રકટ કર્યા હતા તેમનું સ્થાપન કરી પ્રતિપક્ષિઓને મદ ઉતાર્યો હતો અને પોતાના ગુરૂ લબ્ધિસાગરની કીતિ જગતુમાં વધારી હતી. આવી રીતે પોતાનું જીવન નિર્વહતા સંવત્ ૧૭૨૧ માં તેઓ અમદાવાદના રાજપુર નામના પુરામાં ચોમાસું રહ્યા. તે વખતે વૃદ્ધિસાગરસૂરિ, રત્નસાગરઉપાધ્યાય, પંડિત સૂરસાગર, હીરસાગર, માનસાગર, સુંદરસાગર વિગેરે તેમની સેવામાં જ હતા. ત્યાર પછી રાસકારે, રાજપુરના શ્રાવકનાં નામે આપ્યાં છે, જેઓ . શાંતિદાસ શેઠના સંબંધમાં વિશેષ જાણવા માટે જુઓ, જૈન ઐતિહાસિક રાસમાળા, ભા. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy