SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ રાસાર હમેશાં સૂરિજીની સેવામાં હાજર રહેતા હતા. સાતમી ઢાલમાં અમદાવાદનું કાંઈક અલંકારિક વર્ણન આપ્યું છે. પછી જણાવ્યું છે કે— શાંતિદાસ શેઠ, વર્ધમાનસાહ અને વાઘજીસાહના પુત્રો વિગેરે શહેરના શ્રાવકેએ મળીને વિચાર કર્યો કે સૂરિજી ત્યાં પુરામાં રહેલા છે પરંતુ ચેમાસામાં કીચડના લીધે આપણાથી હમેશાં ત્યાં શીરીતે જઈ શકાશે અને સૂરિજીની ભકિત કેમ થઈ શકશે માટે તેમને શહેરમાં લાવવા જોઈએ. એ વિચાર કરી બધા સૂરિજી પાસે ગયા અને ત્યાંથી તેમને મૂલાસાહના ઉપાશ્રયમાં પધરાવ્યા. દિવસ અને રાત ભક્તજને તેમની સેવામાં હાજરને હાજર રહેતા હતા. ગાયકજને નિરતર તેમના ગુણગાન કરતા હતા. શ્રાવિકાઓ ગલીઓ ગાતી હતી અને ઘર ઘર રાત્રિ જાગરણ થતાં હતાં. - આઠમી ઢાળમાં અમદાવાદના આગેવાન અને શ્રીમાન શ્રાવકેની નામાવલી આપી છે. તેમાં શાંતિદાસ શેઠના પુત્ર રતનસાહ, લખમીચંદ, માણેકચંદ અને હેમસાહ લક્ષ ખેંચે છે. તેમણે સં. ૧૭૧૭ માં પડેલા દુકાળ વખતે જગસાહની પેઠે લેકેના સંકટનું નિવારણ કર્યું હતું. તેમનું પણ રાજાઓ અને ઉમર વિગેરેમાં ઘણું માન હતું. બાદશાહ પણ તેમને સારે સત્કાર કરતે હો, વિગેરે. પછી બીજા ઘણું શ્રાવકનાં નામે આપી છેવટે જણાવે છે કે, શહેરના અને પ્રેમાપુર, રાજપુરા, નવાપુરા, અસાવલી, ઈદલપુરા, શેખપુરા, ઉસમાપુરા, મીરાંપુર, નિજામપુરા, અહિમ્મદપુરા, સકંદરપુરા, બીબીપુરા, કાલુપુરા ઈત્યાદિ સઘળા પુરાઓને શ્રાવકવર્ગ સૂરિજીની સેવામાં એકઠા થયે તે વખતે સૂરિએ છેલ્લે ઉપદેશ દીધું અને જણાવ્યું કે – સંવત્ ૧૭૧૫ માં અમારા પરમભક્ત અને પ્રાણ જેવા પ્રિય શાંતિદાસ સ્વર્ગે ગયા. અમારે પણ પિતાના એ સ્વધર્મને મળવા માટે જવાને અવસર આવી ચુકી છે તેથી અમે પણ હવે પ્રયાણ કરીશું. હમે સઘળાએ જે પ્રમાણે ધર્મારાધન કરે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy