SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શસ-સાર. ૨૨ સમર્પણ કરી આખર સાથે વદન કર્યું. એ પદવીદાનના માનખાતર સંઘે ઘણા મહાત્સવો વિગેરે કર્યા, ચામાસુ` ઉતર્યા પછી ઉપાધ્યાયજી ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા ભિન્નમાલ ગયા અને તે ચામાસુ` ત્યાં રહ્યા. ત્યાંથી ચામાસું ઉતરે વિહાર કર્યા અને રાધનપુર, શ ંખેશ્વર અને વીરમગામ આદિ ગામામાં થઇ અમદાવાદ આવ્યા. અમદા વાદના આગેવાન શેઠ શાંતિદાસ વિગેરે ઘણા આડંબરપૂર્વક તેમની સન્મુખ ગયા અને નગર પ્રવેશ કરાવ્યા. અમદાવાદમાં તે વખતે વિજયદેવસૂરિ વિરાજમાન હતા. શાંતિદાસ શેઠે તેમને મુક્તિસાગરને આચાર્યપદ આપવા વિનતિ કરી. પરંતુ સૂરિજીના સહચરોએ બીજો પ્રપંચ રચવા માંડયા, ત્યારે શેઠે મુક્તિસાગરને ત્યાંથી સાહ મૂલાના ઉપાશ્રયમાં લઇ ગયા. આ પ્રસંગે ઘણા બનાવો બન્યા હતા પરંતુ તે રાસકાર આપતા નથી અને છેવટે શી રીતે આચાર્ય પદ મળ્યુ' તેનીજ વાત કરે છે. મુક્તિસાગરવાચક મૂલાસાહના ઉપાશ્રયમાં આવ્યા પછી વિજયદેવસૂરિએ તેમને સૂરિપદ આપવાની હા ભણી અને તે પ્રમાણે સવ'ત્ ૧૬૮૬ ના જેષ્ટ માસમાં મહાવીરસ્વામીના મદિરમાં મુક્તિસાગરને વિજયદેવસરિના હાથે આચાર્યપદ આપવામાં આવ્યુ અને રાજસાગરસૂરિ ’ એવું નામ સ્થાપન કર્યું. સાહ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે એ સૂરિપદનો મહોત્સવ ઘણું દ્રવ્ય ખર્ચી ઉજવ્યેા હતેા. રાજસાગરસૂરિની સાથે સાધુ-સમુદાય ઘણા મ્હોટા પ્રમાણમાં હતા અને તેમાં ઘણા સારા વિદ્વાના હતા. એ સાધુ-સમુદાયમાંથી કેટલાંકનાં નામે રાસકાર આ પ્રમાણે આપે છે:-- ૧ વિવેહર્ષ, ૪ દર્શનસાગર, ૭ શ્રીસાભાગ્ય, ૧૦ કૃપાસાગર, Jain Education International ૨ શ્રુતસાગર, ૫ મેઘસાગર, ૮ સત્યસાભાગ્ય, ૧૧ કુશલસાગર, વિગેરે વિગેરે, For Private & Personal Use Only ૩ ગુણસાગર, ૬ કીર્તિસાગર, ૯ માણિકયસાગર, www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy