SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ &EEEEEE રાજસાગરસૂરિ. એએએએચન ( રાસ ૫, પૃ. ૪પ-૬૭ ) ગુજરદેશમાં સિ’હપુર નામના ગામમાં આસવાલજ્ઞાતિના દેવીદાસ શાહને તેમની ધર્મ પત્ની કાડાંથી બે પુત્ર થયા. પાછળથી કડાંને સ ́સાર ઉપરથી વિરકિત થઇ અને પોતાના ખન્ને પુત્રા સાથે લબ્ધિ સાગર ગુરૂ પાસે દીક્ષા લીધી. ગુરૂએ ખન્ને ભાઇઓનાં ક્રમથી મુકિતસાગર અને નેમિસાગર એવાં નામ આપ્યાં. બન્ને ભાઇઓ શાસ્ત્રાભ્યાસ કરી યોગ્ય થયા ત્યારે ગુરૂએ મુક્તિસાગરને ‘ પડિત ' પદ અને નેમિસાગરને પાઠક ' ( ઉપાધ્યાય ) પદ્મ સમર્પણ કર્યું. સવત્ ૧૬૭૩ માં માંડવગઢમાં બાદશાહ આગળ નેમિસાગર ઉપાધ્યાયે પોતાના પ્રતિસ્પર્ધિ સાથે વાદ કર્યો અને વિજય મેળવ્યા, પરંતુ કમ પ્રભાવે ત્યાંજ થોડા દિવસમાં કાલ કરી સ્વર્ગવાસી થયા. × બીજા ભાઇ મુક્તિસાગરની દિવસે દિવસે પ્રગતિ થતી ગઇ અને તેમની ખ્યાતિ વધતી ગઇ. સવત્ ૧૯૭૯ માં ગચ્છનાયકની ખાસ ઇચ્છા અને આજ્ઞાથી તેઓ મારવાડમાં ગયા અને નડુલાઇ ( નાડલાઇ ) માં ચામાસું કર્યું. તેમના ઉપદેશથી ચામાસામાં ત્યાંના શ્રાવકવર્ગે ઘણાં ઘણાં ધર્માંકૃત્યા કર્યા અને જૈનધર્મના મહિમા વધાર્યા, એવામાં તપગચ્છપતિ વિજયદેવસૂરિએ અમદાવાદથી ત્યાંના પ્રસિદ્ધ શેઠ શાંતિદાસની પ્રેરણાથી શાહ અમર સાથે ઉપાધ્યાયપદ સમર્પણ કરવા સારૂં' વાસક્ષેપ મેાકલ્યા. પછી નાડલાઇના સંધે ઘણા ઠાઠમાઠથી આદિનાથના મદિરમાં નૈમિસાગરને ‘ મહેાપાધ્યાય ' નું પદ > Jain Education International × આ મિસાગર માટે વિશેષ જુએ, ઐતિહાસિક રાસમાળા ભાગ ૧, માંના ‘ નેમિસાગરનિર્વાણુરાસ' પૃ૪ ૨૪૪ થી ૨૫૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy