SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સારે. સેવામાં જ રહ્યા. સંવત્ ૧૭૫૫ માં ગુરૂએ સ્વર્ગવાસ કર્યા બાદ વૃદ્ધિવિયે જૂદા જૂદા ગામોમાં વિહાર કર્યો. પાટણમાં તેમજ બીજા પરિચિત ગામમાં તેમનું ઘણું માન હતું. સં. ૧૭૬૯માં વૃદ્ધિવિજય ગણિ પાટણમાં ચાતુર્માસ રહ્યા. કાતિક વદિ ૧૪ ના દિવસે ચેવિહાર ઉપવાસ કર્યો. બીજે દિવસે વ્યાખ્યાન આપી પરશી વિગેરે કિયાએ કરી, પારણા માટે ગોચરી સંચર્યા. કર્મદશાના વેગે, રસ્તામાં ફેર આવતાં એક શ્રાવકના ગૃહમાં વિશ્રાંતિ માટે વિરાજમાન થયા. ભાવિ ગે ત્યાંજ કાલધર્મ પ્રાપ્ત કર્યો. શ્રાવક લોકોએ બહુજ ખેદની સાથે અમાવાશ્યાના દિવસે તેમને અગ્નિસંસ્કાર કર્યો. જ્યાં પ્રથમ સત્યવિજયગણિના ચરણે સ્થાપન કર્યા હતાં તેમની પાસે જ સંઘે એમનાં પણ પગલાં સ્થાપન કર્યા. આ નિર્વાણકાર અને જણાવે છે કેધર્મમિત્ર સુખસાગર કવિ ઈણિપરિ ભણે રે હંસવિજયને હેતિ, આથી એ જણાય છે કે, સુખસાગર કવિ વૃદ્ધિવિજયના “ધર્મમિત્ર” હતા અને તેમણે હંસવિજય કે જે વૃદ્ધિવિજયના શિષ્ય હતા તેમના માટે આ રચના કરી છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે નિર્વાણ રચનાર અને નિર્વાણ પ્રાપ્ત કરનાર અને સમકાલીન તથા કેટલીક વખતે સહચર પણ હતા. * સંવત ૧૭૫૫ માં સત્યવિજયજીએ સ્વર્ગવાસ કર્યો એ વાત વિશેષ સત્ય જણાય છે, કારણ કે તેમનાં નિર્વાણને રાસ રચનાર જિનહર્ષ કે જે તેમના સમકાલીનજ હતા અને પાટણમાં જ ઘણો વખત રહેતા હતા તેમણે તે રાસ સં. ૧૫૬ માં રચે છે, તેથી તે પૂર્વે જ સ્વર્ગગમન થયું હોવું જોઈએ, એ સ્વત: સિદ્ધ છે. આથી કપૂરવિજય રાસ કે જે તેના કર્તા જિનવિજયજીએ ૧૭૭૯ માં રચે છે તેમાં જે એમ જણાવેલું છે કે – સત્તાવને પિસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ, સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉજી. તે એગ્ય લાગતું નથી. એમ જણાય છે કે પંચાવનને બદલે સત્તાવન એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy