SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચંપા ! વિજયે કહ્યું. “મારા મનની વાત અથવા તે મારા મનને વિચાર ગમે તે ગુપ્ત હોય તે પણ તને કહેવાને કશી પણ હરકત છેજ નહિ. પ્રિય દેવી! તું જાણે છે કે હું કોઈ અજબ સંગને લઈ શહેનશાહ અકબરની પ્રીતિ સંપાદન કરી શકે છું, પરંતુ તે શા કારણથી સંપાદન કરી શક્યો છું, એ વિષેની હકીકત મેં તને કે થાનસિંહ શેઠને કહી નથી. જયારે તે મને એ હકીકત જાણવાને માટે પૂછયું હતું, ત્યારે મેં તને ચગ્ય વખતે તે વિષે કહેવાનું વચન આપ્યું હતું. આજ એ વચનને પાર પડવાને વખત આવી લાગ્યું હોવાથી હું તને સઘળી વાતથી વાકેફ કરૂં છું.” એ પ્રમાણે કહીને વિજયે ચંપાના મહાલયનો ત્યાગ કર્યા પછી શાહજાદીનું મીલન, તેને પ્રેમ, પિતાને કેદમાં પડવું, કેદમાંથી છુટકારે, બાદશાહની સાથે વાતચિત અને છેવટે તેની પ્રીતિને સંપાદન કરવી, એ આદિ બનેલી ઘટનાઓનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું. ચંપા આ સર્વ અજાયબી ભરેલી હકીક્ત સાંભળીને ક્ષણભર તે મંત્રમુગ્ધ બની ગઈ; પરંતુ ત્યારપછી સાવધ થઈને તેણે આશ્ચર્થ દર્શાવતાં કહ્યું. “શું મારી સખી શાહજાદી આરામબેગમ તમને ચાહે છે ? શું આ હકીકત સંભવિત છે?” પ્રિયતમા !” વિજયે જવાબ આપે. “હા, મેં તને જે હકીકત કહી, તે સંભવિત છે. એટેલું જ નહિ પણ સત્ય છે અને જે તને મારા કથનમાં વિશ્વાસ ન આવે તે હોય, તે શાહજાદીનો હમણાં જ આવેલે આ કાગળ બરાબર વાંચી જે એટલે તારી શંકાનું આપોઆપ સમાધાન થશે.” 'T ચંપાએ વિજયના હાથમાંથી કાગળ લેતાં લેતાં કહ્યું. “ પ્રાણનાથ ! મને આપના કથનમાં સહેજ પણ અવિશ્વાસ નથી; પરંતુ શાહજાદી આરામબેગમ આપને ચાહે છે, એ વાત જાણીને મને આશ્ચર્ય થયું છે અને તેથી જ મેં આપને એ સવાલ કર્યો છે.” “ચંપા! વિજયે કહ્યું. એમાં આશ્ચર્ય પામવાનું કોઈપણ પ્રયજન નથી. તું એક વખત શાહજાદીને કાગળ વાંચી જે એટલે તારું આશ્ચર્ય પલાયન થઈ જશે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy